કેનેડા : એડવાઈઝરી જાહેર કરીને પોતાના નાગરિકોને કહ્યું- જમ્મુ-કાશ્મીર, મણિપુર-આસામ જવાનું ટાળો
September 20, 2023

ઓટાવા : ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદ વધી રહ્યો છે. કેનેડામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ મૂક્યો અને ભારતના એક રાજદ્વારીને હાંકી કાઢ્યો હતો. જવાબમાં ભારતે પણ કેનેડાના રાજદ્વારીને હાંકી કાઢ્યો.
આ પછી મંગળવારે રાત્રે બે મોટી ઘટનાઓ બની હતી. પહેલી- ન્યૂઝ એજન્સીએ કેનેડા સરકારને ટાંકીને કહ્યું કે- જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેનેડાએ તેમના નાગરિકોને ત્યાં ન જવા માટે કહ્યું છે. આતંકવાદ અને અપહરણનું જોખમ છે. આ સિવાય આસામ અને મણિપુર ન જવાની પણ સલાહ આપવામાં આવી છે. આ અગાઉ જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીમાં અપડેટ હતું.
બીજું- કેનેડાના સૌથી મોટા અખબાર 'ટોરોન્ટો સ્ટાર'એ ટ્રુડોનું નિવેદન જાહેર કર્યું. તેમાં કહેવામાં આવ્યું છે કે કેનેડાની સરકાર ભારત સાથે તણાવ વધારવા માંગતી નથી, પરંતુ ભારતે આ મુદ્દાઓને ગંભીરતાથી લેવા પડશે.
કેનેડિયન વિપક્ષો ભારત સંઘર્ષના મુદ્દા પર વડાપ્રધાન ટ્રુડોથી પોતાને દૂર કરી રહ્યા હોય તેવું લાગે છે. વિપક્ષના નેતા પિયર પોઈલીવરે સોશિયલ મીડિયા પર કહ્યું- આપણા વડાપ્રધાને સ્પષ્ટ અને સીધું બોલવું જોઈએ. જો તેમની પાસે પુરાવા હોય તો તેમણે લોકો સમક્ષ રજૂ કરવા જોઈએ. આવું થશે ત્યારે જ લોકો નક્કી કરી શકશે કે કોણ સાચું અને કોણ ખોટું. આશ્ચર્યની વાત એ છે કે ટ્રુડો કોઈ તથ્ય રજૂ કરી રહ્યા નથી. તેમના તરફથી માત્ર નિવેદનો આવી રહ્યા છે, આવું તો કોઈપણ કરી શકે છે.
ટોરોન્ટો સ્ટારના અહેવાલ મુજબ મંગળવારે રાત્રે કેનેડાના વડાપ્રધાનનું વલણ થોડું નરમ દેખાયું. તેમણે કહ્યું- અમે તણાવ વધારવા માંગતા નથી. અમે કેટલાંક તથ્યો રજૂ કર્યા છે. અમે આ મુદ્દે ભારત સરકાર સાથે મળીને કામ કરવા માંગીએ છીએ જેથી બધુ સ્પષ્ટ થઈ શકે.
ભારતે કેનેડા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયે કહ્યું- કેનેડાના તમામ આરોપો વાહિયાત છે. કેનેડાના વડા પ્રધાને આપણા પીએમ મોદી પર પણ આવા જ આક્ષેપો કર્યા હતા અને તેમને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા હતા.
આવા પાયાવિહોણા આરોપો ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓથી ધ્યાન હટાવવાનો આ પ્રયાસ છે. તેમને કેનેડામાં આશરો આપવામાં આવ્યો છે અને તે ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે જોખમી છે.
ટ્રુડોએ સાંસદોને કહ્યું કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં કોઈપણ વિદેશી સરકારની સંડોવણી આપણા દેશની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. તેઓ આ હત્યાની તપાસમાં સહયોગ આપવા માટે ભારત સરકાર પર દબાણ લાવશે.
તેમણે કહ્યું હતું કે કેનેડામાં રહેતા ભારતીય મૂળના શીખોની મોટી વસતિ આ હત્યાથી નારાજ છે. ઘણા શીખો તેમની સુરક્ષા માટે ડરમાં છે. દેશમાં ભારતીય મૂળના 14થી 18 લાખ નાગરિક છે, જેમાંથી ઘણા શીખ છે. કેનેડાની વિપક્ષી પાર્ટી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમિત સિંહ શીખ સમુદાયમાંથી છે.
Related Articles
કેનેડા-મેક્સિકો સામે ઉગામેલી ટેરિફની તલવાર ટ્રમ્પે મ્યાનભેગી કરી, કારણભૂત છે અમેરિકન ગરજ
કેનેડા-મેક્સિકો સામે ઉગામેલી ટેરિફની તલવ...
Feb 06, 2025
કેનેડાની વળતી કાર્યવાહી સામે ટ્રમ્પ ઝૂક્યા ! 25% ટેરિફ લાદવાનો નિર્ણય 1 મહિના માટે પડતો મૂક્યો
કેનેડાની વળતી કાર્યવાહી સામે ટ્રમ્પ ઝૂક્...
Feb 05, 2025
ટ્રમ્પના ટેરિફ વૉર સામે ચીન, કેનેડા અને મેક્સિકો ભડક્યાં, WTOમાં મુદ્દો ઊઠાવવાની તૈયારી
ટ્રમ્પના ટેરિફ વૉર સામે ચીન, કેનેડા અને...
Feb 02, 2025
ટ્રુડોની પાર્ટીનો ભારતને ઝટકો, ભારતવંશી ઉમેદવાર ચંદ્ર આર્યાને કેનેડાના વડાપ્રધાનની રેસથી હટાવ્યાં!
ટ્રુડોની પાર્ટીનો ભારતને ઝટકો, ભારતવંશી...
Jan 27, 2025
કેનેડા ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં 3300 કર્મચારીની છટણી કરશે, જાણો ભારતીયોને શું થશે અસર
કેનેડા ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં 3300 કર...
Jan 25, 2025
'કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂકવાનું નથી...' 25% ટેરિફ લાદવાના ટ્રમ્પના પ્લાન સામે ટ્રુડોની ચેતવણી
'કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂકવાનું નથી....
Jan 22, 2025
Trending NEWS

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025