કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ:સાંપ્રદાયિક તણાવ ફેલાવવાની કોશિશ
April 26, 2025

કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં બે મુખ્ય ધાર્મિક સ્થળો - લક્ષ્મી નારાયણ મંદિર (સરે) અને રોસ સ્ટ્રીટ ગુરુદ્વારા (વેનકુવર) - 19 એપ્રિલની વહેલી સવારે તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાઓ સવારે 3 વાગ્યાની આસપાસ
બની હતી. હવે સરે પોલીસ સર્વિસ (SPS) અને વાનકુવર પોલીસ ડિપાર્ટમેન્ટ (VPD) એ આ ઘટનાઓના ગુનેગારોના CCTV ફોટા જાહેર કર્યા છે.
સ્થાનિક પોલીસે જનતાને અપીલ કરી છે કે તેઓ આ બાબત સંબંધિત કોઈપણ માહિતી તાત્કાલિક પૂરી પાડે. આ ઘટના ખાસ કરીને 19 એપ્રિલના રોજ બની હતી, જ્યારે વૈશાખીના તહેવાર નિમિત્તે સ્થાનિક વિસ્તારોમાં મોટી સંખ્યામાં
નગર કીર્તન કાઢવાના હતા. એ સ્પષ્ટ છે કે આ ઘટનાને અંજામ આપીને કેનેડામાં રહેતા હિન્દુ અને શીખ સમુદાયોમાં કોમી રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળે સુરક્ષા કેમેરામાં શંકાસ્પદો સફેદ પિકઅપ ટ્રકમાં આવતા દેખાતા હતા. હવે આ શંકાસ્પદોના ફોટા જાહેર કરવામાં આવ્યા છે જેથી લોકોની મદદથી તેમની ઓળખ કરી શકાય.
સરે પોલીસે કહ્યું છે કે આ એક ગંભીર ગુનાહિત કૃત્ય છે અને તેની તપાસ ઉચ્ચ પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવી રહી છે. વાનકુવર પોલીસ વિભાગે આ ઘટનાને સંભવિત નફરતથી પ્રેરિત ઘટના તરીકે તપાસ શરૂ કરી છે.
આ ઘટના બાદ સ્થાનિક હિન્દુ અને શીખ સમુદાયોમાં ઊંડી ચિંતા અને ગુસ્સો ફેલાયો છે. લક્ષ્મી નારાયણ મંદિર અને રોસ સ્ટ્રીટ ગુરુદ્વારા બંને સમુદાયમાં ભક્તિ અને સેવાના મુખ્ય કેન્દ્રો માનવામાં આવે છે. વિવિધ સંગઠનો અને
નેતાઓએ ધાર્મિક સ્થળોએ આ પ્રકારની તોડફોડની સખત નિંદા કરી છે.
SPS અને VPD એ વિનંતી કરી છે કે જો કોઈને આ ઘટના અંગે કોઈ માહિતી હોય, જેમ કે શંકાસ્પદોની ઓળખ, વાહનની માહિતી અથવા કોઈપણ વિડીયો ફૂટેજ, તો તેઓ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે. માહિતી ગુપ્ત રાખવામાં
આવશે અને તપાસમાં મદદ કરનારાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
Related Articles
કેનેડાના નાયગ્રા ધોધથી પરત ન્યૂયોર્ક ફરી રહેલી ટૂર બસનો અકસ્માત થતાં એક ભારતીય સહિત પાંચ લોકોના મોત
કેનેડાના નાયગ્રા ધોધથી પરત ન્યૂયોર્ક ફરી...
Aug 25, 2025
નાયગ્રા ધોધ જોઈને પરત ફરનારા પ્રવાસીઓની બસને અકસ્માત, બે ભારતીય સહિત પાંચના મોત
નાયગ્રા ધોધ જોઈને પરત ફરનારા પ્રવાસીઓની...
Aug 24, 2025
કેનેડામાં જાણીતા કોમેડિયન કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, ગેંગસ્ટરે લીધી જવાબદારી
કેનેડામાં જાણીતા કોમેડિયન કપિલ શર્માના ક...
Aug 07, 2025
કેનેડામાં રહેતાં ભારતીયો હવે દાદા-દાદી કે માતા-પિતાને સાથે રાખી શકશે, કાર્ની સરકારનો નિર્ણય
કેનેડામાં રહેતાં ભારતીયો હવે દાદા-દાદી ક...
Aug 04, 2025
ભારત સાથે ઝઘડો કરી ટ્રમ્પે કરી મોટી ભૂલ...', કેનેડાના દિગ્ગજ બિઝનેસમેનની ચેતવણી
ભારત સાથે ઝઘડો કરી ટ્રમ્પે કરી મોટી ભૂલ....
Aug 03, 2025
કેનેડા પણ હવે પેલેસ્ટાઈનને માન્યતા આપશે, PM કાર્નીની જાહેરાત, ઈઝરાયલ 'એકલું' પડ્યું
કેનેડા પણ હવે પેલેસ્ટાઈનને માન્યતા આપશે,...
Jul 31, 2025
Trending NEWS

07 September, 2025

06 September, 2025

06 September, 2025

06 September, 2025

06 September, 2025

06 September, 2025

06 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025