કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM કાર્નીની લિબરલ પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે મુકાબલો
April 28, 2025
જોકે કેનેડામાં ઓક્ટોબર 2025માં ચૂંટણીઓ સત્તાવાર રીતે યોજાવાની હતી, પરંતુ વડાપ્રધાન માર્ક કાર્નીએ ગયા મહિને નવી ચૂંટણીઓની જાહેરાત કરતા કહ્યું હતું કે ટ્રમ્પનો સામનો કરવા માટે તેમને મજબૂત જનાદેશની જરૂર છે.
2015થી કેનેડાના વડાપ્રધાન રહેલા જસ્ટિન ટ્રુડોએ આ વર્ષની શરૂઆતમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ માર્ક કાર્ની નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. કેનેડામાં વડાપ્રધાન પાંચ વર્ષનો કાર્યકાળ ધરાવે છે, પરંતુ જો તેઓ બહુમતી ગુમાવે છે અથવા જો વડાપ્રધાન ઈચ્છે તો, તેઓ સમય પહેલાં સંસદ ભંગ કરી શકે છે અને નવી ચૂંટણીઓ યોજી શકે છે.
લિબરલ પાર્ટી: લિબરલ પાર્ટીની સ્થાપના 1867માં થઈ હતી. તે કેનેડાના સૌથી જૂના રાજકીય પક્ષોમાંનો એક છે. લિબરલ પાર્ટી પ્રગતિશીલ વિચારધારાને ટેકો આપે છે. તેનો ભાર ઉદારવાદ, પર્યાવરણીય સંરક્ષણ અને સામાજિક કલ્યાણ જેવા મુદ્દાઓ પર છે.
જોકે, છેલ્લાં થોડાં સમયમાં મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાના કારણે લિબરલ સરકારની આલોચના થઈ રહી છે. ટ્રુડો 2015થી 2025 સુધી આ પાર્ટી તરફથી વડાપ્રધાન હતા. છેલ્લી સામાન્ય ચૂંટણીમાં લિબરલ પાર્ટીએ 153 બેઠકો જીતી હતી અને બહુમતીથી 17 બેઠકો ઓછી હતી, ત્યારબાદ તેણે ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના સમર્થનથી સરકાર ચલાવી હતી.
કન્ઝર્વેટિવ પાર્ટી: કન્ઝર્વેટિવ પાર્ટી કેનેડાના મુખ્ય રાજકીય પક્ષોમાંની એક છે. તે રાઇટ વિંગ વિચારધારાને ટેકો આપે છે. પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ પાર્ટી અને કેનેડિયન એલાયન્સના વિલીનીકરણ બાદ 2003માં આ પાર્ટીની રચના થઈ હતી. તેના મૂળ 19મી સદીના જૂના રૂઢિચુસ્ત પક્ષોમાં જાય છે.
આ પક્ષ આર્થિક ઉદારવાદ, મર્યાદિત સરકાર, વ્યક્તિગત સ્વતંત્રતા અને પરંપરાગત મૂલ્યો પર ભાર મૂકે છે. પિયર પોઇલીવરે સપ્ટેમ્બર 2022 થી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા છે.
કન્ઝર્વેટિવ પાર્ટી વર્તમાન લિબરલ સરકારના આર્થિક સંચાલન અને કાર્બન ટેક્સ નીતિઓની ટીકા કરે છે. આ પાર્ટીને ગઈ ચૂંટણીમાં 120 બેઠકો મળી હતી.
ક્વિબેક અને NDP કિંગમેકર બની શકે છે
ક્વિબેક પાર્ટી: ક્વિબેક પાર્ટીની સ્થાપના 1991માં પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ અને લિબરલ પક્ષોથી અલગ થયેલા સાંસદો દ્વારા કરવામાં આવી હતી. આ પાર્ટી પર્યાવરણ LGBTQ+ અધિકારો અને ગર્ભપાત અધિકારો જેવા મુદ્દાઓને સમર્થન આપે છે. 2021ની સામાન્ય ચૂંટણીમાં તેણે 33 બેઠકો જીતી, જેનાથી તે હાઉસ ઓફ કોમન્સ (કેનેડિયન સંસદનું નીચલું ગૃહ) માં ત્રીજો સૌથી મોટો પક્ષ બન્યો.
ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી: ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ની સ્થાપના 1961માં થઈ હતી. હાલમાં શીખ સાંસદ જગમીત સિંહ આ પાર્ટીના નેતા છે. તે સામાજિક ન્યાય, મજૂર અધિકારો, આર્થિક સમાનતા, પર્યાવરણીય સંરક્ષણ અને સામાજિક કલ્યાણ પર ભાર મૂકે છે.
2021ની ફેડરલ ચૂંટણીમાં NDP એ 25 બેઠકો જીતી, જેનાથી તે હાઉસ ઓફ કોમન્સમાં ચોથો સૌથી મોટો પક્ષ બન્યો. છેલ્લી ચૂંટણીમાં બહુમતી ન મળ્યા બાદ, લિબરલ પાર્ટીએ NDP ના સમર્થનથી સરકાર ચલાવી.
પ્રધાનમંત્રી પદના મુખ્ય દાવેદારો...
લિબરલ પાર્ટી તરફથી માર્ક કાર્ની
માર્ક કાર્ની 9 ફેબ્રુઆરીના રોજ લિબરલ પાર્ટીના નેતા માટે ચૂંટણી જીતી ગયા. કાર્નીને 85.9% મત મળ્યા. તેમણે કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના સ્થાને સત્તા સંભાળી. માર્ક કાર્ની એક અર્થશાસ્ત્રી અને ભૂતપૂર્વ સેન્ટ્રલ બેંકર છે. કાર્ને 2008 માં બેંક ઓફ કેનેડાના ગવર્નર તરીકે ચૂંટાયા હતા.
કેનેડાને મંદીમાંથી બહાર કાઢવા માટે તેમણે લીધેલા પગલાંને કારણે, બેંક ઓફ ઈંગ્લેન્ડે તેમને 2013 માં ગવર્નર પદની ઓફર કરી. બેંક ઓફ ઈંગ્લેન્ડના 300 વર્ષના ઇતિહાસમાં આ જવાબદારી સોંપવામાં આવનાર તેઓ પ્રથમ બિન-બ્રિટિશ નાગરિક હતા. તેઓ 2020 સુધી તેની સાથે જોડાયેલા રહ્યા. બ્રેક્ઝિટ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોએ તેમને બ્રિટનમાં પ્રખ્યાત બનાવ્યા.
જો કન્ઝર્વેટિવ પાર્ટી કેનેડિયન સંસદીય ચૂંટણી જીતે છે તો પિયર પોઇલીવ્રે કેનેડાના વડા પ્રધાન બની શકે છે. પિયર પોઇલિવરે કેલગરી યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ડિગ્રી મેળવી છે. તે ફ્રેન્ચ અને અંગ્રેજી સારી રીતે બોલે છે.
પિયર પોઇલીવરે 2013થી 2015 સુધી વડા પ્રધાન સ્ટીફન હાર્પરની કન્ઝર્વેટિવ સરકારમાં રોજગાર અને સામાજિક વિકાસ પ્રધાન અને લોકશાહી સુધારણા રાજ્ય પ્રધાન હતા.
ખાલિસ્તાનના મુદ્દા પર ભારત સાથેના તણાવ અંગે પિયર પોલિવરે ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની નિંદા કરી હતી. આ ઉપરાંત પિયરે 2023માં કેનેડિયન સંસદમાં નાઝી સૈનિકનું સન્માન કરવાના મામલે પણ ટ્રુડો પર કટાક્ષ કર્યો હતો.
જગમીત સિંહ 2017 થી NDP ના વડા છે. તેઓ કેનેડિયન પાર્ટીનું નેતૃત્વ કરનારા પ્રથમ નેતા છે. તેમનો જન્મ 1979માં કેનેડાના ઓન્ટારિયોમાં થયો હતો. તેમના માતા-પિતા વધુ સારા જીવનની શોધમાં પંજાબથી કેનેડા ગયા. અહેવાલો અનુસાર, જગમીત 2011 માં સંસદ સભ્ય બન્યા હતા.
2013માં ભારતે જગમીત સિંહને વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો. તેમના પર ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો અને કટ્ટરપંથીઓ સાથે સંબંધો હોવાનો આરોપ હતો.
વિઝા રદ થયા પછી, જગમીત સિંહે આરોપ લગાવ્યો કે સરકાર તેમનાથી નારાજ છે કારણ કે તેઓ 1984 થી શીખ વિરોધી રમખાણોના પીડિતો માટે અવાજ ઉઠાવી રહ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમને 'શીખ ઓફ ધ યર' થી સન્માનિત કરવા માટે પંજાબમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.
કેનેડિયન વેબસાઇટ ગ્લોબ એન્ડ મેઇલ અનુસાર, જગમીત સિંહે જૂન 2015માં સાન ફ્રાન્સિસ્કોમાં ખાલિસ્તાનના સમર્થનમાં એક રેલીમાં હાજરી આપી હતી. તેમને ભિંડરાનવાલાના પોસ્ટર સાથે સ્ટેજ પર બોલતા સાંભળવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન, જગમીતએ ભારત સરકાર પર શીખોના નરસંહારનો આરોપ લગાવ્યો હતો.
Related Articles
ભારતીય વિદ્યાર્થીની કેનેડામાં કરપીણ હત્યા, 10-12 લોકોએ માર મારી કાર ફેરવી દીધી
ભારતીય વિદ્યાર્થીની કેનેડામાં કરપીણ હત્ય...
Mar 17, 2026
કેનેડા ભારતમાં ગેસની અછત વચ્ચે ભારતની મદદે આવ્યો
કેનેડા ભારતમાં ગેસની અછત વચ્ચે ભારતની મદ...
Mar 11, 2026
કેનેડામાં ફેમસ યુટ્યુબર નેન્સી ગ્રેવાલની હત્યા
કેનેડામાં ફેમસ યુટ્યુબર નેન્સી ગ્રેવાલની...
Mar 05, 2026
કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા પરમિટ આપવામાં અચાનક 50%નો ઘટાડો કર્યો
કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિ...
Feb 28, 2026
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની 26 ફેબ્રુઆરીએ ભારત, બંને દેશો વચ્ચે 5 મોટી ડીલ્સની શક્યતા
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની 26 ફેબ્ર...
Feb 24, 2026
કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ:શૂટર સહિત 9નાં મોત, 25 ઘાયલ; સ્કૂલમાં કુલ 175 વિદ્યાર્થીઓ હાજર હતા
કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ:શૂટર સહિત 9...
Feb 11, 2026
Trending NEWS
19 March, 2026
19 March, 2026
18 March, 2026
18 March, 2026
17 March, 2026
17 March, 2026
17 March, 2026
17 March, 2026
17 March, 2026
17 March, 2026