રાજદ્વારીઓને ધમકીઓ અપાતા કેનેડાના લોકોના વિઝા બંધ : જયશંકર
October 01, 2023

કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા મામલે ભારત અને કેનેડા વચ્ચેનાં સંબંધો વણસ્યા છે ત્યારે કેનેડાનાં નાગરિકોને ભારતે વિઝા આપવાનું બંધ કર્યું તે અંગે ભારતનાં વિદેશપ્રધાન એસ. જયશંકરે ખુલાસો કર્યો હતો કે, કેનેડાનાં ખાલિસ્તાનીઓ દ્વારા અમારા રાજદ્વારીઓ તેમજ કોન્સ્યૂલેટ ઓફિસો પર હુમલા કરાયા હતા અને ધમકીઓ આપવામાં આવી હતી જેને કારણે અમારે કેનેડાનાં નાગરિકોને વિઝા આપવાનું બંધ કરવા ફરજ પડી હતી.
આવા સંજોગોમાં કેનેડામાં ભારતનાં અધિકારીઓ માટે ઓફિસમાં જઈને કામ કરવાનું અને વિઝા પ્રોસેસ કરવું મુશ્કેલ બન્યું છે. તેમને સતત હિંસાની ધમકીઓ મળી રહી છે. અમારી મજબૂરી હતી જેથી અમારે વિઝા કામગીરી બંધ કરવી પડી. આ કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો છે વિયેના સમજૂતીનો કેનેડા દ્વારા ભંગ કરાઈ રહ્યો છે.
નિજ્જર મામલે મતભેદો કેવી રીતે દૂર કરવા તે અંગે ભારત અને કેનેડા સરકાર વિચારશે. જયશંકરે કેનેડાને સાફ સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે કેનેડામાં ભારત વિરુદ્ધ હિંસા ભડકાવવી તે આઝાદીની અભિવ્યક્તિ કહી શકાય નહીં.
Related Articles
1 ડિસેમ્બરે કેનેડાનાં એરપોર્ટસ ઉપર એરઇંડિયાની ફ્લાઇટ્સ સામે વિકેટિંગ કરવા SFJનો આદેશ
1 ડિસેમ્બરે કેનેડાનાં એરપોર્ટસ ઉપર એરઇંડ...
Nov 23, 2023
કેનેડા-યુએસ- બોર્ડર પર કારમાં વિસ્ફોટ, 2નાં મોત:નાયગ્રા ફોલ્સ ખાતે બંને દેશોને જોડતા ચારેય પુલ બંધ, FBI તપાસમાં લાગી
કેનેડા-યુએસ- બોર્ડર પર કારમાં વિસ્ફોટ, 2...
Nov 23, 2023
મોદી-ટ્રુડોની વર્ચ્યુઅલ મિટિંગ પહેલાં ફરી શરૂ થયા ઈ-વિઝા
મોદી-ટ્રુડોની વર્ચ્યુઅલ મિટિંગ પહેલાં ફર...
Nov 22, 2023
કેનેડામાં ફરી હિન્દુ મંદિર પર હુમલાની ધમકી, ભારતીય મૂળના સાંસદે શેર કર્યો ખાલિસ્તાનીઓનો વીડિયો
કેનેડામાં ફરી હિન્દુ મંદિર પર હુમલાની ધમ...
Nov 21, 2023
Trending NEWS

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

02 December, 2023

01 December, 2023

01 December, 2023

01 December, 2023