Breaking News :
લોકસભા સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર મણિપુરમાં ફરી ભારેલો અગ્નિ: ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ પત્નીને કહેજો હું તેને પ્રેમ કરું છું..., રસ્તા પર વિમાનનું ક્રેશ લેન્ડિંગ, 3 કારને ઉડાવી છતાં કુદરતનો ચમત્કાર! 'FIR નોંધીને ધરપકડ કરો..', PM મોદી સાથે 'અપ્રિય ઘટના'ની આશંકા મુદ્દે રાહુલ ગાંધીનો જવાબ અમદાવાદ બાળ તસ્કરી કેસમાં મોટો ઘટસ્ફોટ: બાળકની સાથે બર્થ સર્ટિફિકેટ પણ અપાતું, એજન્ટોનું મોટું નેટવર્ક સક્રિય ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે ઓટાવામાં હાઈ-પ્રોફાઈલ બેઠક યોજાઈ

પાકિસ્તાનમાં પોતાના માણસોનાં થતાં મોતથી ચીન ભડક્યું : કહ્યું દોષિતોને પકડી સજા કરો

October 08, 2024

ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં કરાંચી એરપોર્ટ પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં ૨ ચીની નાગરિકો સહિત કુલ ૩નાં મૃત્યુ થયા હતાં. આ પછી ચીની દૂતાવાસ એકદમ સક્રિય બની ગયું છે. ચીને કહ્યું છે તે હુમલા કરનાર આતંકીઓને પકડી તેમને કઠોરમાંથી કઠોર સજા થવી જ જોઈએ. પાકિસ્તાનની સમાચાર એજન્સીઓને પછીથી જાણવા મળ્યું છે કે, તે વિસ્ફોટની જવાબદારી બલુચ લિબરેશન આર્મી (બી.એલ.એ.) લીધી છે. આવી ઘટનાઓ વારંવાર બને છે. ચીનનું દૂતાવાસ તેથી ગુસ્સે ભરાયું છે. તેણે તે કાવતરાખોરોને પકડી તેમને કડકમાંથી કડક સજા કરવા શરીફ સરકારને અનુરોધ કર્યો છે. સાથે કહ્યું છે કે પાકિસ્તાનમાં કામ કરતા તમામ ચીની નાગરિકો સંસ્થાઓ અને પરિયોજનાઓની સલામતી માટે દરેક પ્રકારે પગલાં લેવાં જરૂરી છે. ચીનના દૂતાવાસનાં જણાવ્યા પ્રમાણે એ ઘટના રવિવારે રાત્રે બની હતી. તે દરમિયાન એક કાફલો પોર્ટ કારીમ ઇલેકટ્રિક પાવર કંપનીના ચાઈનીઝ સ્ટાફને લઈને જઈ રહ્યો હતો, ત્યારે કરાંચીમાં કાયદે-આઝમ-મહમ્મદઅલિ ઝિન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે તે કાફલા ઉપર હુમલો થયો હતો. તેમાં બે ચીની ઇજનેરો માર્યા ગયા હતા. કેટલાંક પાકિસ્તાની નાગરિકો પણ હતા. જેવો ઘાયલ થયા હતા. આ ઘટનાનો ફોટો વિડીયો ઉપર વાયરલ થઈ રહ્યો છે.