બહુમતી ભાજપની છતાં કોંગ્રેસ બિનહરીફ વિજેતા! આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપના મોમાંથી કોળિયો છીનવાયો
May 24, 2026
આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપના મોમાંથી કોળિયો છીનવાયો
આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની ચૂંટણી પહેલા બહુમતી ભાજપની છતાં કોંગ્રેસ ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા હોવાનું સામે આવ્યું છે. વાત એમ છે કે, ટેકનિકલ કારણોસર અને જાતિ પ્રમાણપત્ર મામલે ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થયુ છે. તેવામાં કોંગ્રેસના ઉમેદવારનો માર્ગ મોકળો થતાં તેઓ બિનહરીફ પ્રમુખ બને તે નિશ્ચિત જણાઈ રહ્યું છે, ત્યારે ભાજપના મોમાંથી કોળિયો છીનવાયોની સ્થિતિ ઉભી થઈ છે.
આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખની ખુરશી અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવી છે. આ માટે ભાજપે મયુરીબહેન પટેલ નામના મહિલાનું ફોર્મ ભર્યું હતું. મયુરીબહેન મૂળ મહારાષ્ટ્રના વતની છે અને તેમણે ગુજરાતમાં પટેલ જ્ઞાતિમાં લગ્ન કર્યા છે. આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની ચૂંટણીમાં ઉમેદવારી કરતી વખતે મયુરીબહેને મહારાષ્ટ્ર સરકારનું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરતાં કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો. સમગ્ર મામલે બંને પક્ષના વકીલો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ દલીલો કરી હતી.
ડીડીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમોના આધિન અન્ય રાજ્યનું અનામત પ્રમાણપત્ર ગુજરાતમાં માન્ય રાખી શકાય નહીં. અંતે ભાજપના મહિલા ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 40 સભ્યોની આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે 33 બેઠકોની બહુમતી હોવા છતાં પ્રમુખમાં કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબહેન તડવી બિનહરીફ વિજેતા જાહેર થશે. જ્યારે કોંગ્રેસ પાસે 7 બેઠકો છે.
Related Articles
ચાણસ્મા ફાર્મ હાઉસ કાંડમાં આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા મુદ્દે કોર્ટ લાલઘૂમ, એસપી-ડીવાયએસપી સસ્પેન્શનની માંગ
ચાણસ્મા ફાર્મ હાઉસ કાંડમાં આરોપીઓનું જાહ...
Sep 01, 2026
વડોદરા ભાયલી દુષ્કર્મ કેસ: પાંચેય દોષિતોને આજીવન કેદ, નવરાત્રિમાં સગીરા પર ગુજાર્યો હતો અત્યાચાર
વડોદરા ભાયલી દુષ્કર્મ કેસ: પાંચેય દોષિતો...
Aug 31, 2026
વડોદરામાં 19 દિવસ સુધી ધમકાવી માતા અને પુત્રને ડિજિટલ એરેસ્ટ કરી 1.53 કરોડ પડાવી લીધા
વડોદરામાં 19 દિવસ સુધી ધમકાવી માતા અને પ...
Aug 30, 2026
સુરત: ફીજીબિલિટી રિપોર્ટ પહેલાં જ બ્રિજના નામે ભાજપમાં ઘમાસાણ
સુરત: ફીજીબિલિટી રિપોર્ટ પહેલાં જ બ્રિજન...
Aug 30, 2026
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસનો ધમધમાટ: દિલ્હી-હરિયાણા સહિત 5 રાજ્યોમાં દરોડા, SMCની 16 ટીમો મેદાને
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસનો ધમધમાટ:...
Aug 25, 2026
સાબરકાંઠા: સપ્તેશ્વરમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા બે યુવાનોના સાબરમતી નદીમાં ડૂબી જવાથી મોત
સાબરકાંઠા: સપ્તેશ્વરમાં દશામાની મૂર્તિનુ...
Aug 22, 2026
Trending NEWS
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026