DGCAનો આદેશ, તમામ વિમાનમાં એન્જિન ફ્યુઅલ સ્વિચની તપાસ ફરજિયાત

July 15, 2025

DGCAએ સ્પષ્ટતા કરી છે કે સ્ટેટ ઓફ ડિઝાઇન દ્વારા જાહેર કરાયેલી એરવર્થિનેસ ડાયરેક્ટિવ્સના આધારે આ તપાસ જરૂરી બનાવવામાં આવી છે. આ નિયમ ભારતમાં નોંધાયેલા તમામ વિમાનો, એન્જિન અને ઘટકો પર લાગુ કરાશે. DGCAના ધ્યાનમાં આવ્યું છે કે SAIB મુજબ ઘણા ઓપરેટરો, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને, તેમના વિમાન કાફલાનું નિરીક્ષણ શરૂ કરી દીધું છે. ક્ષતિગ્રસ્ત વિમાનના તમામ એરલાઇન ઓપરેટરોને 21 જુલાઈ 2025 સુધીમાં તપાસ પૂર્ણ કરવાની સલાહ અપાઇ છે.

અમદાવાદમાં એર ઇન્ડિયા અકસ્માત અંગે AAIBના અહેવાલ પછી નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે આદેશ જાહેર કર્યો છે. DGCAએ તમામ ભારતીય રજિસ્ટર્ડ ફ્લાઇટ્સના એન્જિન ફ્યુઅલ સ્વિચની ફરજિયાત તપાસ કરવાના આદેશો જાહેર કર્યા છે. AAIBના અહેવાલ પછી આ પગલું લેવામાં આવ્યું છે. તપાસ પૂર્ણ કરવા માટેની અંતિમ તારીખ 21 જુલાઈ 2025 છે. તપાસ બાદ નિરીક્ષણ યોજના અને અહેવાલ સંબંધિત પ્રાદેશિક કાર્યાલયને માહિતી આપીને તમામ અહેવાલ સુપરત કરવામાં આવશે.