Breaking News :
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

માલીમાં સોનાની ખાણ ધસી પડતા 48ના મોત, અનેક લોકોને ઈજા

February 16, 2025

માલી : માલીના પૂર્વ વિસ્તારમાં સોનાની ખાણ ધસી પડતા 48 લોકના મોત અને અનેક લોકોને ઈજા થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. માલીના મીડિયા અને અધિકારીઓએ કેનિએબા જિલ્લામાં સોનાની ખાણ ધસી પડી હોવાની માહિતી આપી છે. માલીની ટેલિવિઝન ચેનલના રિપોર્ટમાં જણાવાયું છે કે, કેનિએબા જિલ્લા સ્થિત બિલાલી કોટો નામના સ્થળે ખાણ ધસી પડી છે, જેમાં 48 લોકોના મોત અને અનેક લોકો ઈજા થયા છે. માલીમાં આ વર્ષે આ બીજી ભયાનક દુર્ઘટના બની છે. કેનિએબા ક્ષેત્રના અધિકારી મોહમ્મદ ડિકોએ એસોસિએટેડ પ્રેસ પાસેથી ઘટનાની પુષ્ટી કરી છે અને કહ્યું કે, ઘટનામાં 48 લોકોના મોત થયા છે. ખાણ સંબંધીત નેતા ફલાય સિસોકોએ કહ્યું કે, ‘બિલાવી કોટોમાં શનિવારે રાત્રે ખીણ ધસી પડી હતી. ચીનના નાગરિક દ્વારા સંચાલિત ખાણમાં ભૂસ્ખલન થયું.’ ડિકોએ કહ્યું કે, ‘અધિકારીઓ એવી પણ તપાસ કરી રહ્યા છે કે, ચીનના નાગરિક દ્વારા સંચાલિત ખાણમાં કાયદાકીય રીતે સંચાલન થઈ રહ્યું હતું કે નહીં. માલીમાં ગત મહિને પણ ભૂસ્ખલનની ઘટા બની હતી, જેમાં અનેક લોકોના મોત થયા છે. 29 જાન્યુઆરીના રોજ કૂલિકોરો વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં સોનાની ખાણમાં કામ કરી રહેલા અનેક શ્રમિકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં મોટાભાગની મહિલાઓ હતી. ગત વર્ષે જાન્યુઆરીમાં બમાકો પાસે ગેરકાયદે ખાણ ધસી પડી હતી, જેમાં 70થી વધુ લોકોના મોત થયા હતા.