'કમલમ્'માં ફિયાસ્કો થયો તો ક્ષત્રિય સંમેલનમાં જનસૈલાબ કેવી રીતે ઉમટયો
April 16, 2024
કેન્દ્રીય મંત્રી પુરષોતમ રુપાલાએ ટિપ્પણી કરતાં ક્ષત્રિયો રોષે ભરાયા છે. રવિવારે રાજકોટમાં ક્ષત્રિય સંમેલનમાં જનસેલાબ ઉમટતા સરકાર વિચારમાં મૂકાઇ છે. એટલુ જ નહીં, કમલમના ઘેરાવનો ફિયાસ્કો થયો હતો જયારે રાજકોટમાં સંમેલનમાં લાખોની જનમેદની ઉમટી પડી હતી. આ મામલે ભાજપ મોવડીમંડળે અને સરકારે માહિતી માંગી છે.
ક્ષત્રિય સંમેલનના મુખ્ય કર્તાહર્તા કોણ, ફંડિગ કોણે કર્યું, પડદા પાછળ કોણ?? રાજકોટમાં ક્ષત્રિય સંમેલન પર સરકાર જ નહીં, ભાજપ મોવડી મંડળે પણ ચાંપતી નજર રાખી હતી. સંમેલનમાં કાઠી,ગુર્જર,કારડિયા સહિત અન્ય ક્ષત્રિયો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. રૂપાલાની ટિકિટ રદ કરોની માગ સાથે એકમંચ પર હાજર રહી ક્ષત્રિયોએ શક્તિ પ્રદર્શન કરતાં ભાજપની ચિંતામાં વધારો થયો છે. ભાજ મોવડી મંડળ જ નહીં, સરકાર પણ વિચારમાં છેકે, કમલમના ઘેરાવ મુદ્દે ક્ષત્રિયો બે ફાડચામાં વહેચાયો હતો. જયારે રાજકોટમાં લાખોની સંખ્યામાં એકત્ર થઇ એક મંચ પર આવતાં સરકારને ભીતિ છેકે, આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ જોતાં રાજ્ય સરકારે આઇબી પાસેથી વિગતો માંગી છે. સાથે સાથે ભાજપ મોવડી મંડળે સ્થાનિક નેતાઓ પાસેથી વિગતો એકત્ર કરવાનુ શરૂ કર્યુ છે.
ક્ષત્રિય સંમેલનના મુખ્ય કર્તાહર્તા કોણ હતાં? સમગ્ર સંમેલનમાં ફંડિગ કોણે કર્યું ? કોઇ અધિકારીઓની ભૂમિકા છેકે નહીં ? લાખોની જનમેદની કેવી રીતે એકત્ર કરાઇ? આ ઉપરાંત રાજકોટ સ્થિત ક્ષત્રિય આંદોલન પાછળ ભાજપના અસંતુષ્ટોની પડદા પાછળની ભૂમિકા શું રહી છે તે મુદ્દે વિગતો મેળવાઇ રહી છે. સરકારને સંદેહ છેકે, ક્ષત્રિય સંમેલનમાં જનસેલાબ ઉમટી પડયો હતો એ સ્વયંભૂ ભીડ હતી કે પછી અસંતુષ્ટોનો હાથ હતો. ભાજપને ઘેરવા માટે અસંતુષ્ટો પણ મેદાને પડયા છે ત્યારે મોવડીમંડળને ચિંતા છેકે, જો આજ સ્થિતી રહી તો, ચૂંટણી પ્રચાર કરવો મુશ્કેલ બનશે. ભલે ક્ષત્રિય મતદારો ભાજપના ઉમેદવારને હરાવી શકે તેમ નથી પણ જીતના માર્જીનમાં જરૂરથી ફરક પાડી શકે તેમ છે. ભાજપને એવી પણ ડર સતાવી રહ્યો છેકે, જો રૂપાલાની ટિકિટ રદ નહી કરવામાં આવે તો ક્ષત્રિય મતદારો જે ભાજપની મજબૂત વોટબેન્ક ગણાય છે તે સરકીને કોંગ્રેસ તરફ જઇ શકે છે. આમ, ભાજપ મોવડીમંડળ અને રાજ્ય સરકાર કોઇપણ ભોગે ક્ષત્રિયોને મનાવવા એડીચોટીનું જોર લગાવશે તે નક્કી છે.
ક્ષત્રિય સંમેલનના મુખ્ય કર્તાહર્તા કોણ, ફંડિગ કોણે કર્યું, પડદા પાછળ કોણ?? રાજકોટમાં ક્ષત્રિય સંમેલન પર સરકાર જ નહીં, ભાજપ મોવડી મંડળે પણ ચાંપતી નજર રાખી હતી. સંમેલનમાં કાઠી,ગુર્જર,કારડિયા સહિત અન્ય ક્ષત્રિયો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. રૂપાલાની ટિકિટ રદ કરોની માગ સાથે એકમંચ પર હાજર રહી ક્ષત્રિયોએ શક્તિ પ્રદર્શન કરતાં ભાજપની ચિંતામાં વધારો થયો છે. ભાજ મોવડી મંડળ જ નહીં, સરકાર પણ વિચારમાં છેકે, કમલમના ઘેરાવ મુદ્દે ક્ષત્રિયો બે ફાડચામાં વહેચાયો હતો. જયારે રાજકોટમાં લાખોની સંખ્યામાં એકત્ર થઇ એક મંચ પર આવતાં સરકારને ભીતિ છેકે, આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ જોતાં રાજ્ય સરકારે આઇબી પાસેથી વિગતો માંગી છે. સાથે સાથે ભાજપ મોવડી મંડળે સ્થાનિક નેતાઓ પાસેથી વિગતો એકત્ર કરવાનુ શરૂ કર્યુ છે.
ક્ષત્રિય સંમેલનના મુખ્ય કર્તાહર્તા કોણ હતાં? સમગ્ર સંમેલનમાં ફંડિગ કોણે કર્યું ? કોઇ અધિકારીઓની ભૂમિકા છેકે નહીં ? લાખોની જનમેદની કેવી રીતે એકત્ર કરાઇ? આ ઉપરાંત રાજકોટ સ્થિત ક્ષત્રિય આંદોલન પાછળ ભાજપના અસંતુષ્ટોની પડદા પાછળની ભૂમિકા શું રહી છે તે મુદ્દે વિગતો મેળવાઇ રહી છે. સરકારને સંદેહ છેકે, ક્ષત્રિય સંમેલનમાં જનસેલાબ ઉમટી પડયો હતો એ સ્વયંભૂ ભીડ હતી કે પછી અસંતુષ્ટોનો હાથ હતો. ભાજપને ઘેરવા માટે અસંતુષ્ટો પણ મેદાને પડયા છે ત્યારે મોવડીમંડળને ચિંતા છેકે, જો આજ સ્થિતી રહી તો, ચૂંટણી પ્રચાર કરવો મુશ્કેલ બનશે. ભલે ક્ષત્રિય મતદારો ભાજપના ઉમેદવારને હરાવી શકે તેમ નથી પણ જીતના માર્જીનમાં જરૂરથી ફરક પાડી શકે તેમ છે. ભાજપને એવી પણ ડર સતાવી રહ્યો છેકે, જો રૂપાલાની ટિકિટ રદ નહી કરવામાં આવે તો ક્ષત્રિય મતદારો જે ભાજપની મજબૂત વોટબેન્ક ગણાય છે તે સરકીને કોંગ્રેસ તરફ જઇ શકે છે. આમ, ભાજપ મોવડીમંડળ અને રાજ્ય સરકાર કોઇપણ ભોગે ક્ષત્રિયોને મનાવવા એડીચોટીનું જોર લગાવશે તે નક્કી છે.
Related Articles
ચૂંટણી ટાણે કેજરીવાલની ધરપકડ કેમ ? સુપ્રીમ કોર્ટના EDને 6 સવાલ
ચૂંટણી ટાણે કેજરીવાલની ધરપકડ કેમ ? સુપ્ર...
ચૂંટણીમાં વિપક્ષ 6 મુદ્દાને લઈને હાવી, ભાજપ 400 બેઠકનો આંકડો વટાવી શકશે?
ચૂંટણીમાં વિપક્ષ 6 મુદ્દાને લઈને હાવી, ભ...
Apr 30, 2024
હિન્દુ એક્ટ હેઠળ મુસ્લિમ મહિલાએ સંપત્તિમાં હિસ્સો માગ્યો..' CJIએ કહ્યું અમે આ મામલે વિચારીશું
હિન્દુ એક્ટ હેઠળ મુસ્લિમ મહિલાએ સંપત્તિમ...
Apr 30, 2024
મુંબઈ-આગરા હાઈવે પર ગોઝારો અકસ્માત, બસનું કચ્ચરઘાણ વળી ગયું, 10 લોકોનાં મોત, 30 ઘાયલ
મુંબઈ-આગરા હાઈવે પર ગોઝારો અકસ્માત, બસનુ...
Apr 30, 2024
પોસ્ટરમાં મનમોહનસિંહ સાથે દેખાયો યાસિન મલિક, એક્શનમાં દિલ્હી પોલીસ
પોસ્ટરમાં મનમોહનસિંહ સાથે દેખાયો યાસિન મ...
Apr 30, 2024
છત્તીસગઢના નારાયણપુરમાં એન્કાઉન્ટર 4 નક્સલીઓ ઠાર
છત્તીસગઢના નારાયણપુરમાં એન્કાઉન્ટર 4 નક્...
Apr 30, 2024
Trending NEWS
અમેરિકાના ઓક્લાહોમામાં ટોર્નેડો, ચારનાં મોત, સેંકડ...
30 April, 2024
પોસ્ટરમાં મનમોહનસિંહ સાથે દેખાયો યાસિન મલિક, એક્શન...
30 April, 2024
છત્તીસગઢના નારાયણપુરમાં એન્કાઉન્ટર 4 નક્સલીઓ ઠાર
30 April, 2024
જાતીય સતામણી મામલે JDS એક્શનમાં, પ્રજવલ રેવન્ના સસ...
30 April, 2024
બાંસુરી સ્વરાજે રોડ શો યોજી ભર્યુ ઉમેદવારી પત્ર
30 April, 2024
પતંજલિ કેસમાં SC દ્વારા ઉત્તરાખંડ આયુષ વિભાગને ફટક...
30 April, 2024
બૉડી શેમિંગ પર આ એકટ્રેસનું છલક્યું દર્દ કહ્યું, “...
30 April, 2024
સામંથા રૂથ પ્રભુ હવે જાતે જ ફિલ્મ પ્રોડયૂસર બની ગઈ
30 April, 2024
રણવીરની નવી પિરિયડ ફિલ્મનું ટાઈટલ 'રાક્ષસ' હશે
30 April, 2024
ગિલ અને રિંકુનું કપાયું પત્તું, મયંક યાદવની એન્ટ્ર...
30 April, 2024
Apr 30, 2024