કલોલમાં સૂર્યનારાયણ મંદિરમાં મૂર્તિઓ ખંડિત થતા હોબાળો, તપાસ શરૂ
April 30, 2024
કલોલ : કલોલમાં આવેલા સૂર્યનારાયણ મંદિરમાં તોડફોડ કરી મૂર્તિઓ ખંડિત કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ઉત્તર ભારત સેવા સમાજ સંસ્થાના સૂર્યનારાયણ મંદિરમાં અજાણ્યા લોકો દ્વારા સાત જેટલી મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી. આ અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. આરોપીઓને ઝડપી પાડવા પોલીસે એફએસએલ અને ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી છે.
મળતી માહિતી અનુસાર, કલોલ હાઈવે સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીની પાછળ સૂર્યનારાયણનું મંદિર આવેલું છે. વહેલી સવારે અજાણ્યા લોકો દ્વારા મંદિરમાં પ્રવેશી અહીં સ્થાપિત ભગવાન સૂર્યનારાયણની મૂર્તિને ખંડિત કરી હતી. અજાણ્યા લોકોએ હનુમાનજી, ગણેશજી તથા અંબા માતા, મહાકાળી માતા, સરસ્વતી માતા સહિતની કુલ સાત દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરી હતી. સૂર્યનારાયણ મંદિરના પૂજારી વહેલી સવારે પૂજા કરવા આવ્યા હતા, ત્યારે તેમણે આ નજારો જોયો હતો. જેને પગલે પુજારીએ મંદિરના વહીવટીદારોને કરતા તેઓ દોડી આવ્યા હતા. વહીવટદારોએ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે આવીને ઘટનાસ્થળની તપાસ કરી હતી. પોલીસે તોડફોડ કરનારા આવારા તત્વોને ઝડપી પાડવા માટે એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી. આ ઘટનાને પગલે ભક્તોમાં રોષની લાગણી જોવા મળી હતી.
Related Articles
દોઢ કરોડની કારથી બે લોકોના ભોગ લેનાર સગીર નબીરાને 15 કલાકમાં જામીન મળ્યા
દોઢ કરોડની કારથી બે લોકોના ભોગ લેનાર સગી...
મળસ્કે ચાર વાગ્યે તરસાલીમાં લૂંટ વીથ મર્ડર: વૃદ્ધાનું ગળું કાપી લૂંટારાઓ ફરાર
મળસ્કે ચાર વાગ્યે તરસાલીમાં લૂંટ વીથ મર્...
May 19, 2024
અબ કી બાર 46 કે પાર? ગુજરાતમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે
અબ કી બાર 46 કે પાર? ગુજરાતમાં ગરમીનું ર...
May 18, 2024
નર્મદા બાદ મચ્છુ નદીમાં એક યુવક અને બે સગીર ડૂબ્યા
નર્મદા બાદ મચ્છુ નદીમાં એક યુવક અને બે સ...
May 15, 2024
સુરતના 8 પ્રવાસી નર્મદામાં ડૂબ્યા, એકને બચાવાયો, સાત લોકોની શોધખોળ ચાલુ
સુરતના 8 પ્રવાસી નર્મદામાં ડૂબ્યા, એકને...
May 14, 2024
ગુજરાત- પરિણામ પહેલા પક્ષમાંથી વિભિષણોને શોધવા ભાજપની કવાયત
ગુજરાત- પરિણામ પહેલા પક્ષમાંથી વિભિષણોને...
May 13, 2024
Trending NEWS
20 May, 2024
19 May, 2024
May 20, 2024