સીતાપુરમાં માનવક્ષી વાઘે 2 ગ્રામજનોને ફાડી ખાધા, 40 ગામો વાઘના આતંકથી ભયભીત

September 01, 2025

ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર જંગલી પ્રાણીઓનો ભય જોવા મળી રહ્યો છે. જોકે ઘણા જિલ્લાઓમાં વિવિધ પ્રાણીઓનો આતંક ફેલાયેલો છે. પરંતુ લખનૌને અડીને આવેલા સીતાપુરના 40 ગામો વાઘના આતંકથી ભયભીત છે. આ વિસ્તારમાં શેરડીના ખેતરો દૂર દૂર સુધી ફેલાયેલા છે. આદમખોર વાઘ આ ખેતરોમાં છુપાયેલો છે. એવો દાવો કરવામાં આવે છે કે આ માનવભક્ષી વાઘ એકલો નથી પણ તેના પરિવાર સાથે છે. તે ફક્ત પોતાના શિકારની શોધમાં ઓચિંતો છાપો મારીને રાહ જોઈ રહ્યો છે અને ગ્રામજનો તેના શિકાર છે.

માનવભક્ષી વાઘે અત્યાર સુધીમાં બે લોકોને મારી નાખ્યા છે. સીતાપુરના મહોલી વિસ્તારમાં, વાઘે પહેલા 22 વર્ષીય સૌરભ દીક્ષિતને મારી નાખ્યો ગતો. ત્યારબાદ, તેણે 50 વર્ષીય રાકેશ વર્મા પર પણ હુમલો કરીને મારી નાખ્યો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રાકેશ સવારે ખેતરમાં કામ કરવા ગયો હતો. 

આ સમય દરમિયાન, ઝાડીઓમાં છુપાયેલા વાઘે અચાનક તેના પર હુમલો કર્યો. ખેડૂતે બૂમો પાડી, ત્યારે નજીકમાં હાજર અન્ય ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા, પરંતુ ત્યાં સુધીમાં વાઘે તેને ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. પરિવાર અને ગ્રામજનોએ રાકેશને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.