કેનેડાને ભારતે આપ્યો વળતો જવાબ, કહ્યું-કેનેડિયન રાજદ્વારી 5 દિવસમાં દેશ છોડે
September 19, 2023

કેનેડા અને ભારત વચ્ચે કડવાશ વધી રહી છે. કેનેડાના હુમલા બાદ હવે ભારતે વળતો પ્રહાર કર્યો છે. કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારી વિરુદ્ધ ભારત સરકારે મોટી કાર્યવાહી કરી છે. ભારતે કેનેડિયન રાજદ્વારીને 5 દિવસમાં દેશ છોડવા કહ્યું છે. કેનેડિયન રાજદ્વારી પર ભારતના આંતરિક રાજકારણમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લાગ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજદ્વારીઓ પણ ભારત વિરોધી કાર્યવાહીમાં સામેલ હતા.
હકીકતમાં ભારતે કેનેડાના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું હતું. ત્યાર બાદ ભારતે કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને હાંકી કાઢ્યા અને કેનેડિયન હાઈ કમિશનરને આ નિર્ણય વિશે જાણ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંબંધિત રાજદ્વારીને આગામી 5 દિવસમાં ભારત છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર આરોપ લગાવ્યો હતો કે ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટ સામેલ છે. નિજ્જરની હત્યાની તપાસ વચ્ચે કેનેડા સરકારે ભારતીય રાજદ્વારી પવન કુમાર રાયને હાંકી કાઢ્યા હતા. આ વર્ષે 18 જૂને બ્રિટનમાં ગુરુદ્વારા સામે બાઇક પર આવેલા હુમલાખોરોએ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
Related Articles
કેનેડામાં 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવા માગ, ખાલિસ્તાનીઓએ પરેડ યોજી, PM સામે ઉઠ્યા સવાલ
કેનેડામાં 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવા મા...
May 05, 2025
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે કેનેડાની ચૂંટણીમાં રચ્યો ઇતિહાસ, ભારત પ્રત્યે કેવું છે વલણ?
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે...
Apr 29, 2025
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ્રમ્પની ધમકીઓના કારણે છેલ્લી ઘડીએ પલટાયા સમીકરણ
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ...
Apr 29, 2025
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM કાર્નીની લિબરલ પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે મુકાબલો
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM...
Apr 28, 2025
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક : 11નાં મોત, 20થી વધુ ઘાયલ
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક...
Apr 28, 2025
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ:સાંપ્રદાયિક તણાવ ફેલાવવાની કોશિશ
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ...
Apr 26, 2025
Trending NEWS

07 May, 2025