IPL 2025 મેગા ઓક્શનના સૌથી મોંઘા વેચાયા 5 ખેલાડી
November 25, 2024
IPL 2025 મેગા ઓક્શનના પહેલા દિવસે ઘણા ખેલાડીઓ પર મોટી રકમનો વરસાદ થયો હતો. જ્યારે ફ્રેન્ચાઈઝી ભારતીય ખેલાડીઓ પર ભરપૂર ખર્ચ કરે છે, ત્યારે મોટાભાગની ટીમો વિદેશી નામો પર મોટી બોલી લગાવવાનું ટાળતી જોવા મળી હતી. જ્યારે ડેવિડ વોર્નર જેવા ખેલાડીઓ વેચાયા વગરના રહ્યા, ત્યારે KKR વેંકટેશ અય્યર પર ખૂબ જ પૈસાનો વરસાદ કર્યો. તમને જણાવીએ કે એવા પાંચ ખેલાડીઓ કોણ હતા જેમના પર પહેલા દિવસે પૈસાનો વરસાદ થયો હતો.
રિષભ પંત
મેગા ઓક્શન શરૂ થયા પહેલા જ એવું માનવામાં આવતું હતું કે રિષભ પંતના નામે સૌથી મોટી બોલી લાગી શકે છે અને એવું જ થયું. પંતનું નામ આવતાની સાથે જ ભારતીય વિકેટકીપરને ટીમમાં સામેલ કરવા માટે ફ્રેન્ચાઈઝીઓમાં દોડધામ થઈ. પંત માટે લખનૌ સુપર જાયન્ટ્સ, દિલ્હી કેપિટલ્સ, આરસીબી અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે જોરદાર જંગ ખેલાયો હતો. પરંતુ અંતે બાજી લખનૌએ બાજી મારી અને તેને 27 કરોડ રૂપિયા ખર્ચીને પંતને ટીમમાં સામેલ કર્યો. પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે જેને ઓક્શનમાં વેચવામાં આવ્યો છે.
શ્રેયસ અય્યર
ગત સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન શ્રેયસ અય્યરને પણ ઘણા પૈસા મળ્યા હતા. ઓક્શનના ટેબલ પર અય્યર માટે જોરદાર લડાઈ થઈ હતી. KKR અને લખનૌ સુપર જાયન્ટ્સે ભારતીય બેટ્સમેનને મેળવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ અંતે પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયાની બોલી સાથે ઐયરને પોતાની ટીમમાં સામેલ કર્યો.
વેંકટેશ અય્યર
KKR શ્રેયસ અય્યરને ટીમમાં સામેલ કરી શક્યું ન હતું અને વેંકટેશ અય્યર માટે ઉદારતાથી પૈસા ખર્ચ્યા હતા. વેંકટેશના નામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા વચ્ચે બિડિંગ યુદ્ધ હતું. પરંતુ અંતે KKR વેંકટેશને રૂ. 23.75 કરોડમાં ખરીદીને જીતવામાં સફળ રહી હતી.
યુઝવેન્દ્ર ચહલ
યુઝવેન્દ્ર ચહલ ભલે ભારતીય ટીમમાંથી બહાર થઈ રહ્યો હોય, પરંતુ તેની અસર IPL 2025ની મેગા ઓક્શનમાં જોવા મળી નથી. ચહલના નામ પર ઘણી બોલી લાગી અને અંતે પંજાબ કિંગ્સે તેને 18 કરોડ રૂપિયાની મોટી રકમ ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કર્યો. ચહલ આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો સ્પિનર પણ બની ગયો છે.
અર્શદીપ સિંહ
આ વર્ષે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનાર અર્શદીપ સિંહને ટીમમાં સામેલ કરવા માટે ફ્રેન્ચાઈઝી વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. સનરાઈઝર્સ હૈદરાબાદે અર્શદીપ માટે 15.75 કરોડ રૂપિયાની છેલ્લી બોલી લગાવી હતી, પરંતુ પંજાબ કિંગ્સે રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. આ પછી હૈદરાબાદે અર્શદીપ માટે 18 કરોડ રૂપિયાની બોલી લગાવી, જેને સ્વીકારીને પંજાબે ફરીથી RTMની મદદથી અર્શદીપને ટીમમાં સામેલ કર્યો.
Related Articles
વિરાટ કોહલીએ ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કર્યા, ભસ્મ આરતીમાં કુલદીપ યાદવ પણ જોડાયો
વિરાટ કોહલીએ ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કર...
Jan 17, 2026
T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ! બાંગ્લાદેશને આપ્યો પ્લાન B
T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ! બાંગ...
Jan 13, 2026
કોહલીએ વડોદરામાં સર્જ્યો રેકોર્ડ! આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપથી પૂરા કર્યા 28,000 રન
કોહલીએ વડોદરામાં સર્જ્યો રેકોર્ડ! આંતરરા...
Jan 12, 2026
T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ! બાંગ્લાદેશને આપ્યો પ્લાન B
T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ! બાંગ...
Jan 12, 2026
બાંગ્લાદેશને મોટો ઝટકો, T20 વર્લ્ડકપની મેચ ભારત બહાર યોજવાની માગ ICC એ ફગાવી!
બાંગ્લાદેશને મોટો ઝટકો, T20 વર્લ્ડકપની મ...
Jan 07, 2026
IND vs NZ: ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, સિરાજ અને શ્રેયસની વાપસી
IND vs NZ: ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરિઝ...
Jan 03, 2026
Trending NEWS
15 January, 2026
15 January, 2026
15 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026