IPL 2025 મેગા ઓક્શનના સૌથી મોંઘા વેચાયા 5 ખેલાડી
November 25, 2024

IPL 2025 મેગા ઓક્શનના પહેલા દિવસે ઘણા ખેલાડીઓ પર મોટી રકમનો વરસાદ થયો હતો. જ્યારે ફ્રેન્ચાઈઝી ભારતીય ખેલાડીઓ પર ભરપૂર ખર્ચ કરે છે, ત્યારે મોટાભાગની ટીમો વિદેશી નામો પર મોટી બોલી લગાવવાનું ટાળતી જોવા મળી હતી. જ્યારે ડેવિડ વોર્નર જેવા ખેલાડીઓ વેચાયા વગરના રહ્યા, ત્યારે KKR વેંકટેશ અય્યર પર ખૂબ જ પૈસાનો વરસાદ કર્યો. તમને જણાવીએ કે એવા પાંચ ખેલાડીઓ કોણ હતા જેમના પર પહેલા દિવસે પૈસાનો વરસાદ થયો હતો.
રિષભ પંત
મેગા ઓક્શન શરૂ થયા પહેલા જ એવું માનવામાં આવતું હતું કે રિષભ પંતના નામે સૌથી મોટી બોલી લાગી શકે છે અને એવું જ થયું. પંતનું નામ આવતાની સાથે જ ભારતીય વિકેટકીપરને ટીમમાં સામેલ કરવા માટે ફ્રેન્ચાઈઝીઓમાં દોડધામ થઈ. પંત માટે લખનૌ સુપર જાયન્ટ્સ, દિલ્હી કેપિટલ્સ, આરસીબી અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે જોરદાર જંગ ખેલાયો હતો. પરંતુ અંતે બાજી લખનૌએ બાજી મારી અને તેને 27 કરોડ રૂપિયા ખર્ચીને પંતને ટીમમાં સામેલ કર્યો. પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે જેને ઓક્શનમાં વેચવામાં આવ્યો છે.
શ્રેયસ અય્યર
ગત સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન શ્રેયસ અય્યરને પણ ઘણા પૈસા મળ્યા હતા. ઓક્શનના ટેબલ પર અય્યર માટે જોરદાર લડાઈ થઈ હતી. KKR અને લખનૌ સુપર જાયન્ટ્સે ભારતીય બેટ્સમેનને મેળવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ અંતે પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયાની બોલી સાથે ઐયરને પોતાની ટીમમાં સામેલ કર્યો.
વેંકટેશ અય્યર
KKR શ્રેયસ અય્યરને ટીમમાં સામેલ કરી શક્યું ન હતું અને વેંકટેશ અય્યર માટે ઉદારતાથી પૈસા ખર્ચ્યા હતા. વેંકટેશના નામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા વચ્ચે બિડિંગ યુદ્ધ હતું. પરંતુ અંતે KKR વેંકટેશને રૂ. 23.75 કરોડમાં ખરીદીને જીતવામાં સફળ રહી હતી.
યુઝવેન્દ્ર ચહલ
યુઝવેન્દ્ર ચહલ ભલે ભારતીય ટીમમાંથી બહાર થઈ રહ્યો હોય, પરંતુ તેની અસર IPL 2025ની મેગા ઓક્શનમાં જોવા મળી નથી. ચહલના નામ પર ઘણી બોલી લાગી અને અંતે પંજાબ કિંગ્સે તેને 18 કરોડ રૂપિયાની મોટી રકમ ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કર્યો. ચહલ આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો સ્પિનર પણ બની ગયો છે.
અર્શદીપ સિંહ
આ વર્ષે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનાર અર્શદીપ સિંહને ટીમમાં સામેલ કરવા માટે ફ્રેન્ચાઈઝી વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. સનરાઈઝર્સ હૈદરાબાદે અર્શદીપ માટે 15.75 કરોડ રૂપિયાની છેલ્લી બોલી લગાવી હતી, પરંતુ પંજાબ કિંગ્સે રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. આ પછી હૈદરાબાદે અર્શદીપ માટે 18 કરોડ રૂપિયાની બોલી લગાવી, જેને સ્વીકારીને પંજાબે ફરીથી RTMની મદદથી અર્શદીપને ટીમમાં સામેલ કર્યો.
Related Articles
મેચ જીતવી હોય તો રવીન્દ્ર જાડેજાને બહાર કરી કુલદીપને મોકો આપો: પૂર્વ કોચની ટીમ ઈન્ડિયાને સલાહ
મેચ જીતવી હોય તો રવીન્દ્ર જાડેજાને બહાર...
Jul 01, 2025
'ટી20-વનડેમાં આરામ આપો, ટેસ્ટ ક્રિકેટ તો સૌથી જરૂરી', બુમરાહ મુદ્દે કેમ ગંભીર પર ભડક્યો ડી વિલિયર્સ?
'ટી20-વનડેમાં આરામ આપો, ટેસ્ટ ક્રિકેટ તો...
Jun 30, 2025
ક્રિકેટમાં ICC દ્વારા ફેરબદલ: પાવરપ્લે, LBW, નો-બોલ કેચ સહિત 6 નિયમો બદલાયા
ક્રિકેટમાં ICC દ્વારા ફેરબદલ: પાવરપ્લે,...
Jun 28, 2025
વિદેશી ગર્લફ્રેન્ડને હોટલ રૂમમાં લઈને આવતો હતો આ ક્રિકેટરે, રોહિત શર્મા થયો હતો નારાજ: આત્મકથામાં કબૂલાત
વિદેશી ગર્લફ્રેન્ડને હોટલ રૂમમાં લઈને આવ...
Jun 28, 2025
પહેલી ટેસ્ટમાં હારથી ભડક્યો શમી, ટીમ ઈન્ડિયાના બોલર્સને કહ્યું - બુમરાહ પાસેથી તો શીખો
પહેલી ટેસ્ટમાં હારથી ભડક્યો શમી, ટીમ ઈન્...
Jun 28, 2025
કેપ્ટન તરીકે કારકિર્દીની પહેલી જ ટેસ્ટમાં હારતાં ગિલનું દર્દ છલકાયું, જુઓ કોને જવાબદાર ઠેરવ્યો
કેપ્ટન તરીકે કારકિર્દીની પહેલી જ ટેસ્ટમા...
Jun 25, 2025
Trending NEWS

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025