Breaking News :
વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ ભારત 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે ત્રણ T20 રમશે, શ્રેયસ ઐયર સુકાની; ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ રહેશે હેડ કોચ

સરકાર બન્યા પહેલા જ મહાયુતિમાં વિખવાદ, 'શિંદે' સેનાએ હવે અજિત પવાર સામે બાંયો ચડાવી

December 02, 2024

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે શિંદે સેનાના ધારાસભ્યએ મોટું નિવેદન આપ્યું છે. શિવસેનાના ધારાસભ્ય ગુલાબરાવ પાટીલે રવિવારે દાવો કર્યો હતો કે જો અજિત પવારની એનસીપી મહાગઠબંધનનો ભાગ ન હોત તો એકનાથ શિંદેના નેતૃત્વવાળી પાર્ટીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 90-100 બેઠકો મેળવી હોત. મહાયુતિ ગઠબંધનમાં ભાજપ, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાનીવાળી એનસીપીનો સમાવેશ થાય છે. અજિત પવાર જુલાઈ 2023માં શિંદે સરકારમાં જોડાયા અને તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાટીલે વાતચીતમાં કહ્યું કે, 'શિવસેના માત્ર 85 બેઠકો પર ચૂંટણી લડી હતી. તેમનું માનવું હતું કે જો અજિત પવારની એનસીપી ગઠબંધનનો ભાગ ન હોત તો પાર્ટી વધુ બેઠકો જીતી શકી હોત.' શિવસેનાના ધારાસભ્ય ગુલાબરાવ પાટીલે વધુ કહ્યું હતું કે, 'અમે માત્ર 85 બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. અજીતદાદા વગર અમે 90-100 બેઠકો જીતી શક્યા હોત. શિંદેએ ક્યારેય પૂછ્યું નથી કે અજિત પવારની એનસીપીને તેમની સરકારમાં શા માટે સામેલ કરવામાં આવી. તાજેતરમાં જ જલગાંવ ગ્રામીણ બેઠક પરથી 59,000થી વધુ મતોથી ચૂંટણી જીતેલા ગુલાબરાવ પાટીલે કહ્યું, 'અમારા નેતા મોટા દિલના છે અને પરેશાન નથી. તેમણે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. તેઓ એક યોદ્ધા છે જેને નિરાશ ન કરી શકાય. સીએમના નામ પર ભાજપ નિર્ણય કરશે અને સહયોગી પક્ષોના નિર્ણયને શિંદે ટેકો આપશે.' મહારાષ્ટ્રમાં, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના, ભારતીય જનતા પાર્ટી અને અજિત પવારની આગેવાની હેઠળની NCPનું મહાગઠબંધન કોંગ્રેસ, શિવસેના (UBT) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(SCP)થી બનેલા વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી સાથે ટક્કર હતી. રાજ્યની તમામ 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયું હતું.