Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

થાઈલેન્ડ અને કંબોડિયાના નેતાઓ ટૂંક સમયમાં પરસ્પર યુદ્ધવિરામ માટે મળશે, ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી

July 28, 2025

છેલ્લા 4 દિવસથી કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 32 લોકો માર્યા ગયા છે અને ઓછામાં ઓછા 2 લાખ લોકો વિસ્થાપિત થયા છે. જોકે, યુએસ પ્રમુખ ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે થાઈલેન્ડ અને કંબોડિયાના નેતાઓ ટૂંક સમયમાં પરસ્પર યુદ્ધવિરામ માટે મળશે. જોકે, બંને દેશો વચ્ચે ગોળીબાર હજુ ચાલુ છે.

કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, બંને દેશોના નેતાઓ મલેશિયામાં યુદ્ધવિરામનો અંત લાવવા માટે વાતચીત કરશે. થાઈલેન્ડના વિદેશ મંત્રાલયે જણાવ્યુ છે કે, ચાલુ યુદ્ધ વચ્ચે થાઈલેન્ડ અને કંબોડિયાના નેતાઓ મલેશિયામાં મુલાકાત કરશે. કંબોડિયાએ કહ્યું છે કે, થાઈ પક્ષે યુદ્ધવિરામ માટે અમેરિકન રાષ્ટ્રપતિની વિનંતી પર સંમતિ આપી છે.

વડાપ્રધાન કાર્યાલયના પ્રવક્તા જીરાયુ હુઆંગસાપે જણાવ્યું હતું કે મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર કાર્યકારી વડા પ્રધાન ફુમથમ વેચાયચાઈ આ પ્રદેશમાં શાંતિ પ્રયાસો પર ચર્ચા કરવા માટે વાટાઘાટોમાં હાજરી આપશે. જીરાયુએ કહ્યું કે ફુમથમના કંબોડિયન સમકક્ષ હુન માનેટ પણ વાટાઘાટોમાં હાજરી આપશે.