ખાલિસ્તાની આતંકીઓની મોટી ધમકી: કેજરીવાલ અને સીએમ ભગવંત માનને જાનથી મારી નાખવાની ચેતવણી
April 06, 2026
ચંદીગઢ: પંજાબના પાટનગર ચંદીગઢમાં ભાજપ મુખ્યાલય બહાર થયેલા બ્લાસ્ટના માત્ર પાંચ દિવસ બાદ જ આજે ચંદીગઢ અને જાલંધરની અનેક શાળાઓ તથા સરકારી ઇમારતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકીભર્યા ઈમેલ મળતા જ સમગ્ર પ્રશાસન અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ખાસ કરીને ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીના ગાંધી ભવનમાં રાત્રે ગ્રેનેડ હુમલો કરવાની વાત કહેવામાં આવતા સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ ધમકીભર્યા સંદેશામાં પંજાબને 'ખાલિસ્તાન' બનાવવાની ઉશ્કેરણીજનક વાત કરવામાં આવી છે. ઈમેલમાં લખવામાં આવ્યું છે કે, તમારા બાળકોને બચાવી લો, પંજાબ હવે ખાલિસ્તાન બનશે. ધમકી આપનારે ખાલિસ્તાન નેશનલ આર્મીનું સરનામું વાપરીને શાળાઓમાં નિર્ધારિત સમયે બ્લાસ્ટ કરવાની ચેતવણી આપી હતી. આ સાથે જ રાષ્ટ્રગીત બંધ કરવા અને અલગતાવાદી સૂત્રોચ્ચારો શરૂ કરવાની પણ વાત કરવામાં આવી છે.
સૌથી ગંભીર બાબત એ છે કે આ ઈમેલમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને જાનથી મારી નાખવાની સીધી ધમકી આપવામાં આવી છે. ઈમેલમાં સ્પષ્ટ લખ્યું છે કે બોમ્બ અથવા ગ્રેનેડ હુમલામાં કેજરીવાલ અને ભગવંત માનને પણ ઠોકી દેવામાં આવશે. આ સિવાય હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈની અને પંજાબના ડીજીપી ગૌરવ યાદવ પણ આતંકીઓના નિશાન પર હોવાનું જણાવાયું છે. અમૃતસરમાં સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પણ ૧૪ એપ્રિલના રોજ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
Related Articles
હૈદરાબાદ એરપોર્ટ પર 3 દિવસમાં 3 વિમાન ઉડાવી દેવાની ધમકી, સઘન તપાસ પણ કંઈ વાંધાજનક ન મળ્યું
હૈદરાબાદ એરપોર્ટ પર 3 દિવસમાં 3 વિમાન ઉડ...
May 18, 2026
કમ્પ્લાયન્સમાં નિષ્ફળ રહેતા ઓલા, ઉબર અને રૅપિડો ઍપ પર બૅનનો નિર્ણય હાલ મોકૂફ
કમ્પ્લાયન્સમાં નિષ્ફળ રહેતા ઓલા, ઉબર અને...
May 18, 2026
કેરલમ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ સત્તા પરિવર્તન: યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટની વાપસી અને વી.ડી. સતીશન બન્યા નવા મુખ્યમંત્રી
કેરલમ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ સ...
May 18, 2026
NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ગેસ પેપરના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા
NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ગેસ...
May 17, 2026
'હું કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી...', CM વિજયથી ઈર્ષ્યાની વાતો પર ભડક્યા સુપરસ્ટાર રજનીકાંત
'હું કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી...
May 17, 2026
સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કુલ ન્યાયાધીશની સંખ્યા 37એ પહોંચી
સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રા...
May 17, 2026
Trending NEWS
17 May, 2026
16 May, 2026