અંતિમ સફર પર મનમોહન સિંહ

December 28, 2024

પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા. નવી દિલ્હીના નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો હતો. દિવંગત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં હાજર છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા  અમિત શાહ, રાજનાથ સિંહ જેપી, નડ્ડાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ડો. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ઉપરાષ્ટ્ર પતિ ધનખડે, સ્પીકર ઓમ બીરલાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષો તેમનું સ્મારક બનાવવાની માંગ કરી રહ્યા છે, જેના માટે સરકારે સંમતિ આપી છે. આ માટે ટ્રસ્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મનમોહન સિંહનું ગુરુવારે (26 ડિસેમ્બર) રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની તબિયત બગડતાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા.

PM મોદી નિગમબોધ ઘાટ પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મનમોહન સિંહને અંતિમ વિદાય આપવામાં આવી. ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પ્રોટોકોલ મુજબ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અંતિમ સંસ્કાર રાષ્ટ્રીય સન્માન હેઠળ કરવામાં આવશે. અંદર, જ્યાં સામાન્ય લોકો જઈ શકતા નથી, ત્યાં 21 બંદૂકોની સલામી આપવામાં આવી હતી.