4000થી વધુની ધરપકડ, પાકિસ્તાનમાં ફરી અરાજકતા, ઈમરાન ખાનના સમર્થકો ઊતર્યા માર્ગો પર
November 25, 2024

પાકિસ્તાનમાં મોટાપાયે અરાજકતા ફેલાઈ છે. એકતરફ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિ માટે તેમના સમર્થકો હિંસક દેખાવો કરી રહ્યા છે. તો બીજી તરફ સાંપ્રદાયિક તોફાનો પણ ફાટી નીકળ્યા છે. વધુમાં આતંકવાદી હુમલા પણ વધ્યા છે. પોલીસે 4000થી વધુ લોકોની ધરપકડ કરી છે. જેમાં સાંસદો પણ સામેલ છે. ઈમરાન ખાન પર 150થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. જેમાં ગુરૂવારે તોશાખાના કેસમાં જામીન મળ્યા હોવા છતાં તે જેલમાંથી મુક્ત કરવામાં ન આવતાં તેના પક્ષ પાકિસ્તાન તહેરીક એ ઈન્સાફ (પીટીઆઈ) ના કાર્યકરો, સાંસદો અને નેતાઓએ દેખાવો કર્યા હતા.
4000થી વધુ સમર્થકોની ધરપકડ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિ માટે ઈસ્લામાબાદમાં હિંસા ફાટી નીકળી છે. ઈમરાન ખાનના સમર્થકો તેમની જેલમાંથી મુક્ત કરવાની માગ સાથે હિંસક દેખાવો કરી રહ્યા છે. પોલીસે આ મામલે 4000થી વધુ સમર્થકોની ધરપકડ કરી છે. તેમાં પાંચ સાંસદ પણ સામેલ છે. પંજાબ અને ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તૂનખ્વામાં મોબાઈલ-ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. ઈસ્લામાબાદને રેડઝોન જાહેર કરી બંધ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહના કુર્રમ જિલ્લામાં કોમી તોફાનો ફાટી નીકળ્યા છે. જ્યાં શિયા અને સુન્ની વચ્ચે કોમી હિંસામાં ત્રણ દિવસમાં 83 લોકો માર્યા ગયા છે, 150થી વધુ ઘાયલ છે. કુર્રમમાં 300થી વધુ પરિવારોએ પલાયન પણ કર્યા છે. ગત ગુરૂવારે (21 નવેમ્બર) 200 શિયા મુસ્લિમોને લઈ જતાં એક કાફલા પર ગોળીબાર થતાં 40થી વધુના મોત થયા હતાં. હુમલો સુન્નીએ કરાવ્યો હોવાના અહેવાલો સાથે જ બંને વચ્ચે સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી. સુન્ની બહુમતી ધરાવતા દેશ પાકિસ્તાનમાં શિયા અને સુન્ની વચ્ચે વર્ષોથી લડાઈ ચાલી રહી છે.
4000થી વધુ સમર્થકોની ધરપકડ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિ માટે ઈસ્લામાબાદમાં હિંસા ફાટી નીકળી છે. ઈમરાન ખાનના સમર્થકો તેમની જેલમાંથી મુક્ત કરવાની માગ સાથે હિંસક દેખાવો કરી રહ્યા છે. પોલીસે આ મામલે 4000થી વધુ સમર્થકોની ધરપકડ કરી છે. તેમાં પાંચ સાંસદ પણ સામેલ છે. પંજાબ અને ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તૂનખ્વામાં મોબાઈલ-ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. ઈસ્લામાબાદને રેડઝોન જાહેર કરી બંધ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહના કુર્રમ જિલ્લામાં કોમી તોફાનો ફાટી નીકળ્યા છે. જ્યાં શિયા અને સુન્ની વચ્ચે કોમી હિંસામાં ત્રણ દિવસમાં 83 લોકો માર્યા ગયા છે, 150થી વધુ ઘાયલ છે. કુર્રમમાં 300થી વધુ પરિવારોએ પલાયન પણ કર્યા છે. ગત ગુરૂવારે (21 નવેમ્બર) 200 શિયા મુસ્લિમોને લઈ જતાં એક કાફલા પર ગોળીબાર થતાં 40થી વધુના મોત થયા હતાં. હુમલો સુન્નીએ કરાવ્યો હોવાના અહેવાલો સાથે જ બંને વચ્ચે સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી. સુન્ની બહુમતી ધરાવતા દેશ પાકિસ્તાનમાં શિયા અને સુન્ની વચ્ચે વર્ષોથી લડાઈ ચાલી રહી છે.
Related Articles
રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ સમાપ્તિ તરફ? પુતિનના નિવેદન બાદ ઝેલેન્સ્કી પણ ખુશ
રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ સમાપ્તિ...
May 11, 2025
મોટા વિનાશનું કારણ બન્યું હોત ભારત-પાક યુદ્ધ: સીઝફાયર બાદ ટ્રમ્પનું બીજું નિવેદન
મોટા વિનાશનું કારણ બન્યું હોત ભારત-પાક ય...
May 11, 2025
રશિયા-યુક્રેન વચ્ચે 30 દિવસનું યુદ્ધવિરામ... ચાર દેશોએ મુલાકાત કર્યા બાદ ઝેલેન્સ્કીની જાહેરાત
રશિયા-યુક્રેન વચ્ચે 30 દિવસનું યુદ્ધવિરા...
May 11, 2025
ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધતાં G7 દેશોનું મોટું નિવેદન, પહલગામ આતંકી હુમલાને પણ વખોડ્યું
ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધતાં G7 દેશ...
May 10, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે 'સેલ્ફ ડિપોર્ટેશન પ્રોગ્રામ' લોન્ચ કર્યો, અમેરિકામાં ગેરકાયદે વસતાં લોકોને 'લાસ્ટ ચાન્સ'
ડોનાલ્ડ ટ્રમ્પે 'સેલ્ફ ડિપોર્ટેશન પ્રોગ્...
May 10, 2025
ભારત સાથે સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનથી કુદરત પણ નારાજ, 4.0ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ
ભારત સાથે સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનથી કુદરત...
May 10, 2025
Trending NEWS

સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 14મી સુધીની તમામ પરીક્ષાઓ...
10 May, 2025