નક્સલી શસ્ત્ર છોડે, નહીંતર ચોમાસામાં પણ ઊંઘવા નહીં દઇએ : શાહ

June 23, 2025

છત્તીસગઢ પહોંચેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી તેમ જ સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રાયપુર કેમ્પસનો શિલાન્યાસ કર્યો હતો. કાર્યક્રમને સંબોધતાં નક્સવાદને 31 માર્ચ 2026 સુધીમાં ખતમ કરવાની જાહેરાત કરી હતી. નક્સલવાદીઓને ચેતવણી આપતાં કહ્યું હતું કે હથિયાર હેઠા નહીં મુકો તો ચોમાસામાં ઊંઘવા નહીં દઇએ. 

વધુમાં તેમણે કહ્યું કે ઉત્તીસગઢમાં વિષ્ણુદેવ સાયની સરકાર તેમ જ રાજ્યના ગૃહ પ્રધાન વિજય શર્માની સૌથી મોટી ઉપલબ્ધિ એ રહી કે તેમણે ક્યાંય અટક્યા વિના નક્સલ વિરોધી અભિયાનને આગળ વધાર્યું. પોલીસ અને સુરક્ષા દળોને પ્રોત્સાહન આપીને તેમણે નક્સલવાદ સામેની લડાઇને આગળ વધારી છે.

તેમણે જાહેરાત કરી કે 31 માર્ચ 2026 સુધીમાં દેશ નક્સલવાદથી મુક્ત થઇ જશે.  ખાતરી આપું છું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે જે વચનો આપ્યા છે તે પૂરા કરશે.' ગૃહ પ્રધાને કહ્યું હતું કે,' એનએફએસયૂ સંકુલ' કેન્દ્ર સરકાર દ્વારા ખર્ચાનારા રૂપિયા 145 કરોડના ખર્ચે ઊભું થશે.