Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

હવે 4 નહીં પણ 24 કલાક પહેલાં ખબર પડી જશે ટિકિટ કન્ફર્મ થઈ કે નહીં! રેલવેએ શરુ કરી ટ્રાયલ

June 11, 2025

ભારતીય રેલવે(Indian Railway)એ રેલ મુસાફરોની સુવિધા માટે એક મોટી યોજના બનાવી છે. અત્યાર સુધી જો તમે ટ્રેનની ટિકિટ બુક કરાવો છો, તો તમને ટ્રેનના પ્રસ્થાનના ચાર કલાક પહેલા જ ખબર પડે છે કે તમારી ટિકિટ કન્ફર્મ છે કે નહીં. પરંતુ હવે રેલવે એક નવી સિસ્ટમ પર કામ કરી રહી છે, જે અંતર્ગત કન્ફર્મ ટિકિટ સાથેનો ચાર્ટ 24 કલાક પહેલાં જ જાહેર કરી દેવામાં આવશે. અહેવાલો અનુસાર, રેલવે વિભાગે મુસાફરોની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ લાવવા માટે તૈયારી કરી છે અને તેના ટ્રાયલ પણ શરુ થઈ ગયા છે. રેલવે મુસાફરો ટિકિટ બુક કરાવે છે, ત્યારે ઘણી વખત તમારી ટિકિટ કન્ફર્મ થતી નથી અને વેઇટિંગ લિસ્ટ દેખાડે છે. આ કારણસર ટિકિટ કન્ફર્મ થશે કે નહીં તેની ચિંતા સતત સતાવતી રહે છે. વળી, લાંબા અંતરની મુસાફરીમાં તો મુસાફરોને ઘણી ચિંતા રહે છે. આ સમસ્યાને દૂર કરવા માટે રેલવેએ એક સિસ્ટમ પર કામ કરવાનું શરુ કર્યું છે. જેના દ્વારા હવે તમને 24 કલાકની અંદર તમારી સીટ કન્ફર્મ થવાની માહિતી મળી જશે. રેલવેએ નવી સિસ્ટમ માટે ટ્રાયલ રન પણ શરુ કર્યો છે. છઠ્ઠી જૂનથી આ સિસ્ટમ રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરાઈ છે. જો કે, આ સિસ્ટમ હાલ એક ટ્રેન સુધી મર્યાદિત છે. એવું કહેવાય છે કે અત્યાર સુધી તેમાં કોઈ સમસ્યા આવી નથી, એટલે કે, આ પ્રયોગ સકારાત્મક પરિણામો આપી રહ્યો છે અને મુસાફરોને રાહત મળી છે.