17 સપ્ટેમ્બરે સૂર્ય કરશે કન્યા રાશિમાં ગોચર, આ 3 રાશિના જાતકોની કિસ્મત ચમકી ઉઠશે

September 11, 2023

અમદાવાદ : ગ્રહોના રાજા સૂર્ય ઉર્જાના પ્રતીક છે. તેમના કિરણોથી પૃથ્વી પર તમામ જીવોને જીવન મળે છે. જ્યારે તે પૃથ્વીથી દૂર જાય છે તો તમામ જીવ ઠંડીથી ધ્રૂજી જાય છે અને તેમને નજીક આવવાનું આહ્વાન કરવા લાગે છે. સૂર્ય દેવ કોઈ પણ રાશિમાં લગભગ 30 દિવસ સુધી બિરાજમાન રહે છે અને તે બાદ બીજી રાશિમાં પ્રવેશ કરી જાય છે. તેમનું આ ગોચર તમામ 12 રાશિઓ પર અલગ-અલગ પ્રભાવ નાખે છે.

17 સપ્ટેમ્બરે કરશે ગોચર
સૂર્ય દેવ હાલ પોતાની સ્વરાશિ સિંહમાં બિરાજમાન છે. તેઓ 17 સપ્ટેમ્બર બપોરે 01.42 વાગે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. તેઓ તે રાશિમાં 18 ઓક્ટોબર સુધી રહેશે. તે બાદ તુલા રાશિમાં ગોચર કરશે. સૂર્ય દેવ જ્યાં સુધી કન્યા રાશિમાં બિરાજમાન રહેશે, ત્યાં સુધી 3 રાશિઓની કિસમત ચમકી જવાની છે. તેમની કિસમત સૂર્યની જેમ ચમકશે અને ઘરમાં ધન-દોલત સિવાય કોઈ વાહન કે સંપત્તિનું પણ આગમન થઈ શકે છે. 

સૂર્ય ગોચરથી પ્રભાવિત રાશિઓ

ધન રાશિ

આ રાશિના જાતકો માટે સૂર્ય ગોચર અત્યંત શુભ લાભ લઈને આવી રહ્યુ છે. આ ગોચરના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળવાના યોગ બની રહ્યા છે. વેપારમાં કાર્યરત લોકોના ફાયદામાં વધારો થઈ શકે છે. તમારો આત્મવિશ્વાસ ચરમ પર રહેશે. તમારી આવકના નવા સાધન બનશે. 

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોના સ્વામી સ્વયં સૂર્ય દેવ છે. તેથી સૂર્ય ગોચર થવાથી તેમના ગ્રહો પહેલાની જેમ જ ટોચ પર રહેશે. તેઓ જે પણ કામ શરૂ કરશે, તેમને તેમાં ખૂબ ફાયદો થશે. તેમના ઘર પર લગ્ઝરી વસ્તુઓનું આગમન થઈ શકે છે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે, અટકેલુ ધન પાછુ મેળવી શકો છો.

મેષ રાશિ

સૂર્ય દેવના રાશિ પરિવર્તનના કારણે તમને જૂની બીમારીથી રાહત મળશે. તમારુ આરોગ્ય સારુ રહેશે. સમાજમાં તમારુ માન-સન્માન વધશે. તમારી આવકના નવા સાધન બનશે. કાર્ય સ્થળ પર તમારા કાર્યોના વખાણ થશે. તમારી આવકના સ્ત્રોત વધશે, જેનાથી આર્થિક સ્થિતિ સુધરશે.