Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

વધુ એક વાવાઝોડાનું સંકટ! આગામી 24 કલાક 'ભારે', જાણો ક્યાં સૌથી વધુ ખતરો

November 26, 2024

ભારતીય હવામાન વિભાગ (IMD) એ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાતા ડીપ ડિપ્રેશનના કારણે 24 કલાકમાં વાવાઝોડાના સંકટની આગાહી કરી છે. IMD અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી વાવાઝોડા અને ઉષ્ણકટિબંધીય તોફાનનો ખતરો તમિલનાડુના દરિયાકાંઠે સૌથી વધુ જોવા મળશે.  

હાલમાં બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત આ ડીપ પ્રેશરના કારણે 12 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તે હાલમાં ત્રિંકોમાલીથી લગભગ 310 કિમી દક્ષિણ-પૂર્વમાં, નાગાપટ્ટિનમથી 590 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં, પુડુચેરીના 710 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઈના 800 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં સ્થિત છે. આ વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને શ્રીલંકાના દરિયાકાંઠાને પાર કરીને ભારતીય તરફ આગળ વધશે.

IMDએ આગાહી કરી છે કે ભારે પવન 27 નવેમ્બરે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે, આથી અધિકારીઓ અને રહેવાસીઓ તરફથી પૂરતી તકેદારી રાખવામાં આવશે. તેમજ વાવાઝોડાના કારણે તમિલનાડુના દરિયાકાંઠે ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાઈ શકે છે. આથી દરિયાકાંઠાના સમુદાયોને અપડેટ રહેવા અને સ્થાનિક અધિકારીઓની સલામતી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.