અંબાજીમાં ભાદરવી પૂનમના મહાકુંભની તૈયારી, યાત્રાળુઓની સુવિધામાં કરાયો વિશેષ વધારો

September 12, 2023

ગુજરાતમાં ભાદરવી પૂનમના મહાકુંભની તૈયારીઓનો પ્રારંભ થઇ ગયો છે. જેમાં મેળામાં 40 લાખ શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે. ત્યારે અંબાજીમાં ચોતરફ માતાજીની ઝાંખી જોવા મળશે. તથા પાણી, શૌચાલય, સ્વછતા, આશ્રય સ્થાનોની સુવિધા કરવામાં આવી છે. દર વર્ષ કરતા 750 વધુ સફાઈ કર્મીઓ મેળામાં ખડેપગે રહેશે.

9000 ચોરસ મીટર વિસ્તારમાં વોટરપ્રુફ ડોમની વ્યવસ્થા કરાશે. તથા 4 ડોમમા યાત્રાળુઓ માટે 1200 બેડની વ્યવસ્થા કરાશે. તેમજ 2 લાખ ચો.મી. વિસ્તારમાં વિશાળ પાર્કિગ તૈયાર કરાશે યાત્રાધામ વિકાસ બોર્ડ અને તંત્ર દ્વારા માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. બનાસકાંઠામાં ભાદરવી પૂનમના મહા કુંભની તૈયારીઓનો પ્રારંભ થયો છે. ત્યારે મેળામાં 40 લાખ શ્રદ્ધાળુઓ અવાવની શક્યતાને લઇ તંત્ર તૈયાર છે. સમગ્ર અંબાજીમાં અદ્રત અને દિવ્ય લાઇટિંગ દ્વારા એવી ઝળહળટ ઉભો કરાશે કે ભક્તોને ચોતરફ માતાજીની ઝાંખી જોવા મળશે.