શિલોંગ પોલીસે રાજા રઘુવંશી હત્યા કેસમાં બીજું હથિયાર જપ્ત કર્યું

June 18, 2025

શિલોંગ પોલીસે રાજા રઘુવંશી હત્યા કેસમાં બીજું હથિયાર જપ્ત કર્યું છે. ક્રાઇમ સીન રિક્રિએશન દરમિયાન, આ હથિયાર તે ખાડા પાસે મળી આવ્યું હતું જ્યાં હત્યા પછી રાજાનો મૃતદેહ ફેંકવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યામાં બે 'ડા' એટલે કે તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

શિલોંગ એસપી વિવેક શ્યામે જણાવ્યું હતું કે 23 મેના રોજ સોહરામાં વેઇસાડોંગ ફોલ્સ નજીક રાજાની હત્યામાં એક નહીં પણ બે ડાઓ (તીક્ષ્ણ હથિયારો)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બંને ડાઓ (તીક્ષ્ણ હથિયારો) મળી આવ્યા છે. બંને ડાઓ એ જ ખાડામાં ફેંકવામાં આવ્યા હતા જ્યાં રાજાનો મૃતદેહ ફેંકવામાં આવ્યો હતો.

ક્રાઇમ સીન રિક્રિએશન દરમિયાન સોનમ રઘુવંશીએ કબૂલાત કરી હતી કે હત્યા સમયે તે ઘટનાસ્થળે હાજર હતી. તેણે હત્યારાઓને પાર્કિંગમાં જ રાજાને મારવાનો સંકેત આપ્યો હતો. જ્યારે પહેલા હુમલા પછી રાજાનું લોહી વહેવા લાગ્યુ, ત્યારે સોનમ ચીસો પાડતી પાછળ હટી ગઈ. ત્રણેય હત્યારાઓએ મળીને રાજાનો મૃતદેહ ખાડામાં ફેંકી દીધો હતો.