Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

શિલોંગ પોલીસે રાજા રઘુવંશી હત્યા કેસમાં બીજું હથિયાર જપ્ત કર્યું

June 18, 2025

શિલોંગ પોલીસે રાજા રઘુવંશી હત્યા કેસમાં બીજું હથિયાર જપ્ત કર્યું છે. ક્રાઇમ સીન રિક્રિએશન દરમિયાન, આ હથિયાર તે ખાડા પાસે મળી આવ્યું હતું જ્યાં હત્યા પછી રાજાનો મૃતદેહ ફેંકવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યામાં બે 'ડા' એટલે કે તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

શિલોંગ એસપી વિવેક શ્યામે જણાવ્યું હતું કે 23 મેના રોજ સોહરામાં વેઇસાડોંગ ફોલ્સ નજીક રાજાની હત્યામાં એક નહીં પણ બે ડાઓ (તીક્ષ્ણ હથિયારો)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બંને ડાઓ (તીક્ષ્ણ હથિયારો) મળી આવ્યા છે. બંને ડાઓ એ જ ખાડામાં ફેંકવામાં આવ્યા હતા જ્યાં રાજાનો મૃતદેહ ફેંકવામાં આવ્યો હતો.

ક્રાઇમ સીન રિક્રિએશન દરમિયાન સોનમ રઘુવંશીએ કબૂલાત કરી હતી કે હત્યા સમયે તે ઘટનાસ્થળે હાજર હતી. તેણે હત્યારાઓને પાર્કિંગમાં જ રાજાને મારવાનો સંકેત આપ્યો હતો. જ્યારે પહેલા હુમલા પછી રાજાનું લોહી વહેવા લાગ્યુ, ત્યારે સોનમ ચીસો પાડતી પાછળ હટી ગઈ. ત્રણેય હત્યારાઓએ મળીને રાજાનો મૃતદેહ ખાડામાં ફેંકી દીધો હતો.