ગદ્દાર' કહેતા શિંદે ભડક્યા, ગુસ્સામાં કાફલો અધવચ્ચે રોકીને કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા
November 12, 2024
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે. જેમાં મહાયુતિ અને મહા વિકાસ અઘાડીના નેતાઓ એક-બીજા પર આકરા પ્રહારો કરી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. મહાયુતિ અને એમવીએ વચ્ચે તીખા પ્રહારોના કારણે રાજકારણ સમસમી ઉઠ્યું છે. હાલમાં જ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ગદ્દાર કહેવા બદલ તેઓ ઉશ્કેરાયા હતા. વીડિયોમાં મુખ્યમંત્રી પોતાના કાફલાને અધવચ્ચે રોકીને કોંગ્રેસના કાર્યલય જતા જોવા મળી રહ્યા છે.
એકનાથ શિંદેની રેલી નસીમ ખાનની ઓફિસની બહારથી પસાર થઈ રહી હતી. ત્યારે કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેના પક્ષ શિવસેના યુબીટીના કાર્યકરોએ ગદ્દાર....ગદ્દાર...ના સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં સંતોષ કાટકે નામના યુવકે મુખ્યમંત્રી વિરૂદ્ધ અભદ્ર શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. જેનાથી મુખ્યમંત્રી ગુસ્સે ભરાયા હતા અને રોષમાં આવી કારમાંથી નીચે ઉતરી નસીમ ખાનની ઓફિસની અંદર ગયા હતા.
એકનાથ શિંદેએ કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે પક્ષના નેતાઓને ઓફિસમાં જઈ સવાલ કર્યો હતો કે, શું તમે તમારા કાર્યકરોને આવુ શીખવો છો, આ પ્રકારનો તોછડો વ્યવહાર કરતાં તમે શીખવી રહ્યા છો? પોલીસ કર્મીઓએ આ ઘટનામાં સંતોષ કાટકે અને અન્ય અમુક કાર્યકરોની અટકાયત પણ કરી હતી. જો કે, બાદમાં તેમને ચેતવણી આપી છોડી મૂક્યા હતાં. આ વીડિયો ગઈકાલ મોડી રાતનો હોવાનું જાણવા મળ્યું છે. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
સંતોષ કાટકે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (અઠાવલે જૂથ)ના જિલ્લા અધ્યક્ષ છે. આ ઘટના સંદર્ભે સંતોષે કહ્યું કે, મુખ્યમંત્રી અમારા કાર્યાલય આવ્યા હતા, અને મારા પિતાને પૂછ્યું હતું કે, તમારા કાર્યકારોમાં કોઈ અનુશાસન કે શિસ્તબદ્ધતા છે કે નહીં. તેમણે અમને જોઈ લેવાની ધમકી પણ આપી, તો શું તેમને ગદ્દાર કહેવા ગુનો છે?
Related Articles
લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહની ગોળી મારી હત્યા, મૃતદેહ નહેરમાંથી મળ્યો
લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ...
Aug 30, 2026
ભારતમાં પાકિસ્તાનનું જાસૂસી નેટવર્કનો પર્દાફાશ, દુકાન પરના ચાઈનીઝ કેમેરાથી વોચ
ભારતમાં પાકિસ્તાનનું જાસૂસી નેટવર્કનો પર...
Aug 30, 2026
વિદેશમાં ડહાપણ તો ઘરમાં ચૂપકીદી: ભાગવતના હિન્દુ-મુસ્લિમવાળા નિવેદન પર કપિલ સિબ્બલ આક્રમક
વિદેશમાં ડહાપણ તો ઘરમાં ચૂપકીદી: ભાગવતના...
Aug 30, 2026
દીપકે અને સૌરવ દાસ કોઈ સંત નથી કે તેમને મહત્વકાંક્ષા ન હોય.... સોનમ વાંગચુક
દીપકે અને સૌરવ દાસ કોઈ સંત નથી કે તેમને...
Aug 30, 2026
NEET-PG 2026 પરીક્ષામાં10 વખત બત્તી ગૂલ, સિસ્ટમ બંધ થતાં હવે 5 સપ્ટેમ્બરે ફરી લેવાશે એક્ઝામ
NEET-PG 2026 પરીક્ષામાં10 વખત બત્તી ગૂલ,...
Aug 30, 2026
Trending NEWS
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
28 August, 2026
28 August, 2026
28 August, 2026