Breaking News :
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસનો ધમધમાટ: દિલ્હી-હરિયાણા સહિત 5 રાજ્યોમાં દરોડા, SMCની 16 ટીમો મેદાને પટનામાં વિદ્યાર્થી આંદોલન 12મા દિવસે : ગાંધી મેદાનથી CM આવાસ સુધી માર્ચ, 14 સંગઠનો અને RJDનું સમર્થન બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મેચ ફિક્સિંગથી બચાવવા પસંદગીકારોને નવી જવાબદારી સોંપી શોપિયાંમાં નાકા ચેકિંગ દરમિયાન 2 હેન્ડ ગ્રેનેડ, હિઝબુલના 5 પોસ્ટરો મળ્યા, 3 શંકાસ્પદોની ધરપકડ નવી દિલ્હીમાં જાપાની રોકાણકારો સાથે બેઠક, ગોયલે ભારતની 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની યોજનાની જાણકારી આપી રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જંક ફૂડ પર પ્રતિબંધ, અધિકારીઓને માસિક નિરીક્ષણની જવાબદારી

18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફોટક, હોર્મુઝમાં અમેરિકાના હુમલામાં 5ના મોતનો દાવો, બહેરીનમાં નેશનલ ઈમરજન્સી જાહેર

May 05, 2026

પશ્ચિમ એશિયામાં 18 દિવસના કામચલાઉ યુદ્ધવિરામ બાદ સ્થિતિ ફરી વિસ્ફોટક બની છે અને હોર્મુઝની ખાડીમાં અમેરિકા તથા ઈરાન સામસામે આવી ગયા છે. ઈરાનની મીડિયાએ સૈન્ય સૂત્રોના હવાલેથી એવો દાવો કર્યો હતો કે અમેરિકી સેનાએ માલસામાન લઈ જતી બે નાગરિક નૌકાઓને નિશાન બનાવી હતી, જેમાં 5 નાગરિકોના મોત થયા હતા. જોકે, અમેરિકાએ આ દાવા પર મૌન સેવ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને ખુલ્લી ચેતવણી આપી હતી કે જો તે અમેરિકી જહાજોને નિશાન બનાવશે તો તેને નેસ્તનાબૂદ કરી દેવામાં આવશે.

યુનાઈટેડ આરબ અમીરાતે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે ઈરાનના ડ્રોને ફુજૈરાહ સ્થિત તેલ સુવિધા કેન્દ્રને નિશાન બનાવ્યું હતું, જેના કારણે ત્યાં ભયાનક આગ લાગી હતી. આ કેન્દ્ર હોર્મુઝને બાયપાસ કરતું મહત્વનું પાઈપલાઈન હબ માનવામાં આવે છે. બીજી તરફ, ઓમાનમાં પણ રહેણાંક ઈમારત પર હુમલાના સમાચાર મળ્યા હતા. પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે બહેરીને દેશમાં નેશનલ ઈમરજન્સી જાહેર કરી દીધી હતી. બ્રિટિશ સેનાએ પણ અમીરાત તટ પાસે એક માલવાહક જહાજમાં આગ લાગી હોવાની પુષ્ટિ કરી હતી.

આ હુમલાઓની સીધી અસર વિશ્વના અર્થતંત્ર પર પડી હતી અને ગ્લોબલ માર્કેટમાં તેલની કિંમતોમાં 6 ટકાનો તોતિંગ વધારો થયો હતો. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ આ હુમલાઓમાં હાથ હોવાનો ઇનકાર કર્યો હતો અને અમેરિકાના પ્રોજેક્ટ ફ્રીડમને પ્રોજેક્ટ ડેડલોક ગણાવ્યો હતો. ટ્રમ્પે દક્ષિણ કોરિયાના જહાજ પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ઘટનાક્રમ બાદ વિશ્વભરમાં ફફડાટ ફેલાયો હતો અને યુદ્ધ ફરી શરૂ થવાની ભીતિ સેવાઈ રહી હતી.