Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

ચક્રવાત ફેંગલને લઇને 27 નવેમ્બરે કેટલીક ફ્લાઇટ અને ટ્રેનને રદ કરાઈ

November 27, 2024

દેશના વિવિધ રાજ્યોમાં વાતાવરણની વાત કરીએ તો ક્યાંક હજી ગરમી તો ક્યાંક ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. પરંતુ વધુ એકવાર દેશ પર વાવાઝોડાનો ખતરો વર્તાયો છે. પરિણામે વિવિધ રાજ્યોમાં અત્યારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ચક્રવાત ફેંગલને લઇને 27 નવેમ્બરે કેટલીક ફ્લાઇટ અને ટ્રેનને રદ કરવામાં આવી છે. વાતાવરણમાં બદલાવને કારણે એરલાઇન દ્વારા ઘણી ફ્લાઇટ રદ કરવામાં આવી છે જેની માહિતી એક્સ પર આપવામાં આવી છે.

ઈન્ડિગોએ ચેન્નાઈ, તુતીકોરિન અને મદુરાઈથી આવતી ફ્લાઈટ્સ માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે 27 નવેમ્બરના રોજ ઓપરેટ થનારી ફ્લાઈટ્સ બદલાતા હવામાનને કારણે રદ કરવામાં આવી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે પ્રતિકૂળ હવામાનના કારણે ચેન્નાઈ, તુતીકોરીન અને મદુરાઈની ફ્લાઈટને અસર થઈ રહી છે. આ સિવાય તિરુચિરાપલ્લી અને સાલેમની ફ્લાઈટને પણ અસર થઈ રહી છે. એરલાઈને મુસાફરોને તેમની મુસાફરીના અપડેટ્સ માટે http://bit.ly/3DNYJqj સાથે જોડાયેલા રહેવાની સલાહ આપી છે.