ચક્રવાત ફેંગલને લઇને 27 નવેમ્બરે કેટલીક ફ્લાઇટ અને ટ્રેનને રદ કરાઈ
November 27, 2024

દેશના વિવિધ રાજ્યોમાં વાતાવરણની વાત કરીએ તો ક્યાંક હજી ગરમી તો ક્યાંક ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. પરંતુ વધુ એકવાર દેશ પર વાવાઝોડાનો ખતરો વર્તાયો છે. પરિણામે વિવિધ રાજ્યોમાં અત્યારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ચક્રવાત ફેંગલને લઇને 27 નવેમ્બરે કેટલીક ફ્લાઇટ અને ટ્રેનને રદ કરવામાં આવી છે. વાતાવરણમાં બદલાવને કારણે એરલાઇન દ્વારા ઘણી ફ્લાઇટ રદ કરવામાં આવી છે જેની માહિતી એક્સ પર આપવામાં આવી છે.
ઈન્ડિગોએ ચેન્નાઈ, તુતીકોરિન અને મદુરાઈથી આવતી ફ્લાઈટ્સ માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે 27 નવેમ્બરના રોજ ઓપરેટ થનારી ફ્લાઈટ્સ બદલાતા હવામાનને કારણે રદ કરવામાં આવી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે પ્રતિકૂળ હવામાનના કારણે ચેન્નાઈ, તુતીકોરીન અને મદુરાઈની ફ્લાઈટને અસર થઈ રહી છે. આ સિવાય તિરુચિરાપલ્લી અને સાલેમની ફ્લાઈટને પણ અસર થઈ રહી છે. એરલાઈને મુસાફરોને તેમની મુસાફરીના અપડેટ્સ માટે http://bit.ly/3DNYJqj સાથે જોડાયેલા રહેવાની સલાહ આપી છે.
Related Articles
સુરતની ઓળખ સમા ઉદ્યોગોની થીમ પર ગણેશજીની અનોખી પ્રતિમાઓ, મહિધરપુરામાં ગણેશોત્સવ આકર્ષણનું કેન્દ્ર
સુરતની ઓળખ સમા ઉદ્યોગોની થીમ પર ગણેશજીની...
Sep 03, 2025
હવે ભારતમાં આ લોકો પાસપોર્ટ વિના રહી શકશે, કોઈ પુરાવાની જરૂર નહીં, બસ માત્ર એક શરત...
હવે ભારતમાં આ લોકો પાસપોર્ટ વિના રહી શકશ...
Sep 03, 2025
રાજસ્થાનમાં પણ મેઘરાજાએ વિનાશ વેર્યો, ડેમ તૂટતાં ગામડા ડૂબ્યાં, અનેક દુર્ઘટના વચ્ચે ફરી એલર્ટ
રાજસ્થાનમાં પણ મેઘરાજાએ વિનાશ વેર્યો, ડે...
Sep 03, 2025
યમુનાનું જળ સ્તર પહેલીવાર 206 મીટરથી ઉપર ગયું, રાજધાનીમાં પૂરનો તોળાતો ખતરો
યમુનાનું જળ સ્તર પહેલીવાર 206 મીટરથી ઉપર...
Sep 03, 2025
રાયપુરના બેબીલોન ટાવરમાં ભીષણ આગ, 7 મા માળ સુધી લોકો ફસાયા
રાયપુરના બેબીલોન ટાવરમાં ભીષણ આગ, 7 મા મ...
Sep 03, 2025
દિલ્હી, પંજાબ, હિમાચલ, ઉત્તરાખંડમાં કુદરત વિફરી : ઘર-મકાન ડૂબ્યા, રસ્તાઓ પાણીમાં ગરકાવ
દિલ્હી, પંજાબ, હિમાચલ, ઉત્તરાખંડમાં કુદર...
Sep 03, 2025
Trending NEWS

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

02 September, 2025