પાકિસ્તાની જેલમાં 26/11 હુમલામાં સામેલ આતંકવાદીનું મોત
May 30, 2023

લાહોર : 2008ના મુંબઈ આતંકી હુમલાના પ્લાનિંગમાં સામેલ અબ્દુલ સલામ ભુટ્ટાવીનું પાકિસ્તાનની જેલમાં હાર્ટ-એટેકથી મોત થયું છે. તે ટેરર ફંડિંગ કેસમાં જેલની સજા ભોગવી રહ્યો હતો. 2020માં તેને લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદના સાળા અબ્દુલ રહેમાન મક્કીની સાથે સાડા 16 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ભારતની ગુપ્તચર એજન્સીઓએ પણ ભુટ્ટાવીના મૃત્યુની પુષ્ટિ કરી છે.
ભુટ્ટાવીનું સોમવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતની શેખપુરા જેલમાં મોત થયું. તેના અંતિમસંસ્કાર મંગળવારે લાહોરમાં કરવામાં આવ્યા છે. 2011માં યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે પણ ભુટ્ટાવી પર પ્રતિબંધો લાદ્યા હતા, તેના પર આતંકવાદી હુમલાઓ માટે ફંડ એકઠું કરવાનો અને આતંકવાદીઓની ભરતી કરવાનો આરોપ હતો. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે કહ્યું- ભુટ્ટાવીએ પોતાનાં ભાષણો અને ફતવા જારી કરીને આતંકવાદીઓને મુંબઈ પર હુમલો કરવા માટે તૈયાર કર્યા હતા.
2012માં યુએન સુરક્ષા પરિષદે ભુટ્ટાવીને આતંકવાદી જાહેર કર્યો હતો. 2002-2008 વચ્ચે, જ્યારે લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદને પાકિસ્તાનમાં નજરકેદ કરવામાં આવ્યો હતો ત્યારે ભુટ્ટાવીને આતંકવાદી સંગઠનનો વડા બનાવવામાં આવ્યો હતો. એ જ સમયે 2008માં મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો. એને 10 આતંકવાદીએ એકસાથે અંજામ આપ્યો હતો. આ હુમલામાં 166 લોકોનાં મોત થયાં હતાં. મૃત્યુ પામનારાઓમાં અમેરિકા અને બ્રિટનના નાગરિકો પણ સામેલ હતા.
26 નવેમ્બર 2008ની રાત્રે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદી કોલાબાના દરિયા કિનારેથી બોટ મારફત ભારતમાં પ્રવેશ્યા હતા. તેઓ સંપૂર્ણ સશસ્ત્ર હતા. અહીંથી આ તમામ આતંકવાદીઓ બે જૂથોમાં વહેંચાઈ ગયા અને અલગ-અલગ દિશામાં આગળ વધ્યા.
Related Articles
ગોવાના લહરાઈ દેવી મંદિરમાં ભાગદોડ, સાત લોકોનાં મોત
ગોવાના લહરાઈ દેવી મંદિરમાં ભાગદોડ, સાત લ...
May 05, 2025
ચીન બાદ હવે હોંગકોંગે વધાર્યું અમેરિકાનું ટેન્શન, અમેરિકન પાર્સલ ડિલીવરી-સપ્લાય બંધ
ચીન બાદ હવે હોંગકોંગે વધાર્યું અમેરિકાનુ...
Apr 16, 2025
ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, 11નાં મોત
ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ...
Apr 01, 2025
સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો: PM મોદીનું મહાકુંભના સમાપન પર નિવેદન
સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો: PM મ...
Feb 27, 2025
સુનિતા વિલિયમ્સ જલદી જ પૃથ્વી પર પાછી ફરશે! NASA એ આપી ગુડ ન્યૂઝ
સુનિતા વિલિયમ્સ જલદી જ પૃથ્વી પર પાછી ફર...
Feb 12, 2025
ICCએ રોહિત શર્માને T20I ટીમ ઑફ ધ યર 2024નો કૅપ્ટન પસંદ કર્યો, 4 ભારતીય ખેલાડીને મળ્યું સ્થાન
ICCએ રોહિત શર્માને T20I ટીમ ઑફ ધ યર 2024...
Jan 25, 2025
Trending NEWS

07 May, 2025