સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો: PM મોદીનું મહાકુંભના સમાપન પર નિવેદન
February 27, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં સંપન્ન થયેલાં મહાકુંભને લઈને એક બ્લોગ લખ્યો છે. જેમાં તેમણે આ આયોજનને એકતાનો મહાકુંભ કહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે, સમાજના દરેક વર્ગ અને દરેક ક્ષેત્રના લોકો મહાકુંભમાં એક થઈ ગયાં. આ આયોજનની સફળતાને લઈને તેઓ સોમનાથ દર્શ માટે જશે અને દરેક ભારતીયો માટે પ્રાર્થના કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું કે, 'મહાકુંભ સંપન્ન થયો. એકતાનો મહાયજ્ઞ સંપન્ન થયો. પ્રયાગરાજમાં એકતાના મહાકુંભમાં સંપૂર્ણ 45 દિવસ સુધી જે પ્રકારે 140 કરોડ દેશવાસીઓની આસ્થા એકસાથે, એક સમયે આ એક પર્વથી આવીને જોડાઈ, આ અદ્ભુત છે! મહાકુંભના પૂર્ણ થતાં જે વિચાર મનમાં આવ્યો તેને મેં લખવાનો પ્રયાસ કર્યો છે.' પોતાના આ બ્લોગમાં વડાપ્રધાન મોદીએ જનતાની માફી પણ માંગી છે.
PM મોદીએ બ્લોગમાં લખ્યું કે, 'મહાકુંભ સંપન્ન થયો. એકતાનો મહાયજ્ઞ સંપન્ન થયો. હવે એક રાષ્ટ્રની ચેતના જાગૃત થઈ છે, જ્યારે તે સેંકડો વર્ષની ગુલામીની માનસિકતાના તમામ બંધનોને તોડીને નવા ચૈતન્ય સાથે હવામાં શ્વાસ લેવા લાગે છે, તો આવું જ દ્રશ્ય ઉત્પન્ન થાય છે, જેવું આપણ 13 જાન્યુઆરી બાદથી પ્રયાગરાજમાં એકતાના મહાકુંભમાં જોયું. 22 જાન્યુઆરી, 2024 ના દિવસે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં મેં દેવભક્તિ સાથે દેશભક્તિની વાત કહી હતી. પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન દેવી-દેવતા જોડાયા, સંત-મહાત્મા જોડાયા, બાળકોથી લઈને વડીલો જાડાયા, મહિલા-યુવા જોડાયા અને આપણે દેશની જાગૃત ચેતનાને સાક્ષાત્કાર કરી. આ મહાકુંભ એકતાનો મહાકુંભ હતો, જ્યાં 140 કરોડ દેશવાસીઓની આસ્થા એકસાથે એક સમયે આ પર્વ સાથે જોડાઈ હતી.'
Related Articles
ગ્રીક ટાપુ પર સ્થળાંતર કરનારાઓથી ભરેલી હોડી પલટી, 17 લોકોના થયા મોત
ગ્રીક ટાપુ પર સ્થળાંતર કરનારાઓથી ભરેલી હ...
Dec 08, 2025
માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને મળશે સહાય: 7 દિવસમાં કરાશે સર્વે પૂર્ણ, રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય
માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને મળશે સહાય...
Oct 29, 2025
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવૉરનો અંત આવશે! બંને દેશોએ આપ્યા સંકેત
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવૉ...
Oct 27, 2025
'INS વિક્રાંતનું નામ સાંભળી પાકિસ્તાનની ઊંઘ ઊડી ગઈ હતી', PM મોદીએ નૌસેના સાથે ઉજવી દિવાળી
'INS વિક્રાંતનું નામ સાંભળી પાકિસ્તાનની...
Oct 20, 2025
શાહરૂખ-ગૌરીને સમન્સ, સમીર વાનખેડેએ માંગ્યું ₹2 કરોડ વળતર
શાહરૂખ-ગૌરીને સમન્સ, સમીર વાનખેડેએ માંગ્...
Oct 08, 2025
નેપાળમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ, PM ઓલી દુબઈ ભાગે તેવી અટકળો, નવ મંત્રીના રાજીનામાં
નેપાળમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ, PM ઓલી...
Sep 09, 2025
Trending NEWS
17 December, 2025
17 December, 2025
17 December, 2025
17 December, 2025
17 December, 2025
16 December, 2025
16 December, 2025
16 December, 2025
16 December, 2025
16 December, 2025