Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મિસાઇલ હુમલાથી કાટમાળમાં ફેરવાયા બૌદ્ધ મંદિર, થાઈલેન્ડ-કમ્બોડિયા યુદ્ધના ગંભીર પરિણામ

July 25, 2025

: થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ગુરુવારે (24 જુલાઈ) સરહદી વિવાદે ઉગ્ર રૂપ લઈ લીધું છે અને બંને દેશોના સૈનિકોએ એકબીજા પર ગોળીબાર અને હવાઈ હુમલા કર્યા હતા. થાઈલેન્ડના સરકારી અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, 'આ યુદ્ધમાં થાઇલેન્ડના 14 લોકો મૃત્યુ પામ્યા છે અને આ હુમલાને કારણે 1.25 લાખ લોકો સ્થળાંતર કરાયા છે.'


અહેવાલો અનુસાર,થાઈલેન્ડ F-16 ફાઇટર વિમાનોથી કંબોડિયાને નિશાન બનાવી રહ્યું છે. F-16 હુમલામાં કંબોડિયાની સેનાના ઠેકાણાઓ નાશ પામ્યા છે. કંબોડિયાના સીમ રીપ રાજ્યમાં એક પેગોડા પર થાઈ વાયુસેનાએ હુમલો કર્યો હતો. જેના કારણે બૌદ્ધ ભિક્ષુઓમાં નાસભાગ મચી હતી. નોંધનીય છે કે, બૌદ્ધિસ્ટના ધાર્મિક સ્થળને પેગોડા કહેવાઈ છે.


થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે વર્ષો જૂના મંદિરો અને બૌદ્ધ વિહારો મોટા પાયે નુકસાન થયું છે. ખાસ કરીને મુએન થોમ અને પ્રીહ વિહાર મંદિરોની આસપાસના સાંસ્કૃતિક ધરોહરોને નુકસાન પહોંચ્યું છે.
24મી જુલાઈ બંને દેશો વચ્ચે ઘર્ષણના એક દિવસ પહેલા થાઈલેન્ડે કંબોડિયાથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા. ત્યારબાદ સરહદ પર લેન્ડમાઇન વિસ્ફોટમાં એક થાઈ સૈનિક ઘાયલ થયો હતો, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો અને થાઈલેન્ડે પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા.