બે દિવસમાં મોટી જાહેરાતની શક્યતા, ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરાર મંત્રણા અંતિમ તબક્કામાં
July 03, 2025
ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર થઈ રહ્યા છે. આગામી 48 કલાકમાં મોટી જાહેરાત થઈ શકે છે. ભારત-યુએસ વચ્ચેનો વેપાર કરાર અંતિમ ચરણમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી લાગુ રેસિપ્રોકલ ટેરિફ પર રોકની ડેડલાઈન 9 જુલાઈના રોજ પૂરી થઈ રહી છે. અગાઉ બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ પર મહોર વાગવાની હતી, પરંતુ ભારત કૃષિ ક્ષેત્રે પોતાની શરતો પર અડગ રહેતાં ડીલ ખોરંભે પડી હતી.
છેલ્લા થોડા દિવસથી ભારત અને અમેરિકા બંને દેશો તરફથી ટ્રેડ ડીલ પર કરાર મુદ્દે નિવેદનો આવી રહ્યા છે. મીડિયા સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે વેપાર કરારની વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી છે. ટૂંકસમયમાં જ જાહેરાત થઈ શકે છે. જો કે, ભારત કૃષિ અને ડેરી ક્ષેત્રે અમુક શરતો માનવાનો ઈનકાર કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. ભારતે કપડાં, જેમ્સ-જ્વેલરી, ચામડું, પ્લાસ્ટિક અને કેમિકલ જેવા ક્ષેત્રોમાં અમુક રાહતોની માગ કરી છે.
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર મુદ્દે અમુક શરતો અને અપેક્ષા રાખવામાં આવી હતી. જેમાં અમેરિકા ઇચ્છે છે કે ભારત પોતાનું કૃષિ અને ડેરી બજાર અમેરિકા માટે ખોલે, જેથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા અમેરિકન ઉત્પાદનોને ભારત જેવું મોટું બજાર મળી શકે. જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અમેરિકા દ્વારા કરવામાં આવી રહેલી આ માંગણી માટે બિલકુલ તૈયાર નથી, તે પોતાના વલણ પર અડગ છે. ભારત કેટલાક અમેરિકન કૃષિ ઉત્પાદનો પર 100% ટેરિફ લાદે છે અને અમેરિકા તેને સમાપ્ત કરવાની માંગ કરી રહ્યું છે. આનું કારણ એ છે કે જો આવું થશે, તો ભારતીય ખેડૂતોને નુકસાન થશે અને તેમને ઉત્પાદનનો યોગ્ય ભાવ મળશે નહીં.
આ અઠવાડિયાની શરૂઆતમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારત-અમેરિકા વેપાર કરાર અંગે એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત અમેરિકા સાથે એક મોટો અને સારો સોદો કરવા માંગે છે, પરંતુ આ માટે શરતો પણ લાગુ કરવી પડશે. ખાસ કરીને, નાણામંત્રીએ કૃષિ-ડેરી ક્ષેત્ર પર ઊંડાણપૂર્વક વિચારણા પર ભાર મૂક્યો હતો. અમેરિકા સાથેના વેપાર કરાર અંગે ભારત સરકાર દ્વારા પ્રથમ વખત નિવેદન આવ્યું હતું.
Related Articles
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે...
Jul 13, 2026
જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!
જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મ...
Jul 13, 2026
પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત
પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ...
Jul 13, 2026
હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓની બસ પલટી જતાં 17 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત, ચાલક ફરાર
હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓ...
Jul 13, 2026
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા પાસેથી જૂનમાં ખરીદ્યું રેકોર્ડબ્રેક ક્રૂડ ઓઈલ
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા...
Jul 12, 2026
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બ...
Jul 12, 2026
Trending NEWS
13 July, 2026
13 July, 2026
13 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026