તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ટીકીટનું વેચાણ, ટ્રસ્ટે એજન્ટોને એલર્ટ કર્યા

June 21, 2025

ભગવાન વ્યંકટેશ્વરને સમર્પિત તિરુપતિ બાલાજી મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે, જે આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લામાં આવેલું છે. અહીં રોજ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન વ્યંકટેશ્વરના દર્શન કરવા માટે આવે છે. તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન કરવા માટેના બે રસ્તા છે. સામાન્ય દર્શન કરવા માટે લાંબી લાઈનમાં ઉભુ રહેવું પડે છે. જ્યારે સ્પેશ્યિલ દર્શન માટે 300 રુપિયામાં ટિકીટ ખરીદવામાં આવે છે. પરંતું ઘણા એજન્ટો નકલી ટિકીટ દ્વારા શ્રધ્ધાળુઓ સાથે ફ્રોડ કરી રહ્યા છે, જેની વિરુદ્ધમાં હવે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

તિરુપતિ એક સ્વતંત્ર સરકારી ટ્રસ્ટ છે. જે તિરુપતિ બાલાજી મંદિર સાથે જોડાયલેુ છે. જે મંદિરના સંચાલન, નાણાકિય વ્યવ્હાર સાથે જુદી-જુદી ગતિવિધીઓની દેખભાળ પણ કરે છે. હવે ટ્રસ્ટે મંદિરમાં નકલી દર્શન અને નકલી ટિકીટ આપીને શ્રધ્ધાળુઓ સાથે ફ્રોડ કરનાર એજન્ટો માટે એલર્ટ જાહેર કર્યું છે.