આજે નવરાત્રીનો નવમો દિવસ, શાસ્ત્રોથી જાણો મા સિદ્ધિદાત્રીની કથા અને પૂજાનું મહત્વ
October 23, 2023
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1698064746.1.jpg)
શારદીય નવરાત્રીમાં નવમા દિવસના પ્રમુખ દેવી મા સિદ્ધિદાત્રી છે. નવદુર્ગા ગ્રંથ પ્રમાણે તેમની ઉપાસના કરવાથી દરેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. માર્કેણ્ડેય પુરાણમાં આઠ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં 18 સિદ્ધિઓ બતાવવામાં આવી છે.
માર્કેણ્ડેય પુરાણમાં લખેલી સિદ્ધિઓ
અણિમા, મહિમા, ગરિમા, લધિમા પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ
બ્રહ્મવૈવર્ત પુરાણમાં વર્ણિત સિદ્ધિઓ
1- અણિમા
2- લધિમા
3- પ્રાપ્તિ
4- પ્રાકામ્ય
5- મહિમા
6- ઈશિત્વ, વશિત્વ
7- સર્વકામાવસાયિતા
8- સર્વજ્ઞત્વ
9- દૂરશ્રવણ
10- પરકાયાપ્રવેશન
11- વાસિદ્ધિ
12- કલ્પવૃક્ષત્વ
13- સૃષ્ટિ
14- સંહારકરણસામર્થ્ય
15- અમરત્વ
16- સર્વન્યાયકત્વ
17- ભાવના
18- સિદ્ધિ
જો દેવી પુરાણના પુરાવા માનીએ તો ભગવાન શિવજીને આ જ માતાની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી અને શિવજીને અર્ધનારીશ્વર રૂપ આ જ દેવીના કારણે પ્રાપ્ત થયુ હતું.
તેમની ચાર ભૂજા છે. નીચલા જમણા હાથમાં ચક્ર અને ઉપરના હાથમાં ગદા છે. નીચલા ડાબા હાથમાં શંખ અને ઉપરના હાથમાં કમળ છે. તેઓ એક કમળ પર બિરાજમાન છે.
તેમનો મંત્ર છે-
સિદ્ધિ ગન્ધર્વ યક્ષાદ્યૈરસુરૈરમરૈરપિ।
સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયિની॥
નવરાત્રીના નવમા દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી વ્યક્તિ સર્વોચ્ચ પદ પ્રાપ્ત કરે છે. તેમની ઉપાસનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેમની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવો દિવ્ય ચમત્કાર થાય છે કે કોઈ કામના બાકી નથી રહેતી. આપણને સંસારની નશ્વરતાનો બોધ થઈ જાય છે. આપણે દેવીનું સાનિધ્ય મેળવીને અમૃત રસનું પાન કરવા લાગીએ છીએ. પરંતુ આ સ્થિતિ સુધી પહોંચવા માટે તમારે ઘોર તપસ્યાની આવશ્યકતા હોય છે. આજે નવરાત્રિનો છેલ્લો દિવસ છે. દેવી પુરાણ 3.30.59-60 પ્રમાણે શ્રી રામચંદ્રજીએ પ્રસન્ન મને નવરાત્રી વ્રતનું સમાપન કરીને દશમી તિથિના રોજ વિજયા પૂજન કરીને અને દાન આપીને કિષ્કિંધા પર્વત પરથી લંકા તરફ પ્રસ્થાન કર્યું હતું. તેથી આ દિવસનું નામ વિજયાદશમી પણ કહેવાય છે.
Related Articles
શ્રાવણમાં બનશે શક્તિશાળી ગજકેસરી યોગ, આ 3 રાશિઓના લોકો બનશે ધનિક
શ્રાવણમાં બનશે શક્તિશાળી ગજકેસરી યોગ, આ...
Jul 18, 2024
પુરીમાં તૈયારીઓ પૂર્ણ : ભગવાન જગન્નાથ,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નીજ મંદિર પરત ફરશે
પુરીમાં તૈયારીઓ પૂર્ણ : ભગવાન જગન્નાથ,ભા...
Jul 15, 2024
પુરીના જગન્નાથમાં 46 વર્ષ બાદ મંદિરમાં રતન ભંડારના કપાટ ખૂલ્યા
પુરીના જગન્નાથમાં 46 વર્ષ બાદ મંદિરમાં ર...
Jul 14, 2024
વેટિકન સિટી-મક્કાને પાછળ મૂકી દેશે ભારતનું અયોધ્યા, 6 મહિનામાં 1.75 કરોડથી વધુ ભક્તો આવ્યા
વેટિકન સિટી-મક્કાને પાછળ મૂકી દેશે ભારતન...
Jun 25, 2024
31 મે પછી વધશે મિથુન-તુલા સહિત ચાર રાશિના જાતકોનું ટેન્શન: દેવું વધશે, ભારે પડશે શત્રુઓ
31 મે પછી વધશે મિથુન-તુલા સહિત ચાર રાશિન...
May 28, 2024
અમેરિકામાં હિંદુ મંદિરનું નિર્માણકાર્ય અટકાવી દેવાયું, મંજૂરીના 11 મહિના બાદ નિયમ બદલી કાઢ્યો
અમેરિકામાં હિંદુ મંદિરનું નિર્માણકાર્ય અ...
May 24, 2024
Trending NEWS
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722008720.2.jpeg)
26 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722008671.3.jpeg)
26 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722008609.4.jpeg)
26 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722008547.6.jpeg)
26 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1722008421.05.jpg)
26 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1721931396.mumbai.jpeg)
25 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1721889254.m.jpg)
25 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1721889026.content_image_74ccbf23-1848-48c8-aad9-5612fa4b770d.jpeg)
25 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1721888954.div.jpg)
25 July, 2024
![](https://swadesh.news/assets/img/newsPosts/thumb_imgs/1721886404.gujrat-rain.jpg)
25 July, 2024