Breaking News :
કૈરોમાં ઈરાને અમેરિકાને આર્થિક યુદ્ધની ધમકી આપતાં તણાવ, સાઉદીના શહેરોમાં હુથીઓનો હુમલો, 73 ઘાયલ અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટી 75770 પર, IT-ઓટો શેરમાં વેચવાલી ઈન્ડોનેશિયામાં રાખ સાફ કર્યા બાદ ફ્લાઇટ્સ ધીમે ધીમે શરૂ, 178 વિમાનોની હવાઈ યોગ્યતા તપાસાશે ઉત્તરાખંડમાં 1.3 લાખ મતદારો હટાવવાની અરજીઓ મળતાં આખરી યાદીની મુદત લંબાવાઈ, 3 ઓક્ટોબરે જાહેરાત થશે વડોદરામાં આજે પીએમ મોદીનો જેન-ઝી સાથે સંવાદ, 35000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, એક કિમીનો ગુંબજ બનાવાયો સિંગર કિંજલ રબારીએ પોલીસ કમિશ્નરને પત્ર લખી કહ્યું ‘મારું અપહરણ થયું નથી’, પરિવાર પર ગોંધી રાખવાનો આરોપ લગાવ્યો

ઉત્તરાખંડમાં 1.3 લાખ મતદારો હટાવવાની અરજીઓ મળતાં આખરી યાદીની મુદત લંબાવાઈ, 3 ઓક્ટોબરે જાહેરાત થશે

September 08, 2026

ઉત્તરાખંડમાં ચાલી રહેલા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ નામ રદ્દ કરવા માટે ફોર્મ 7 હેઠળ 1,30,382 થી વધુ અરજીઓ નોંધાઈ છે. આશ્ચર્યજનક રીતે રાજ્યના કુલ 13 પૈકી માત્ર 4 જિલ્લાઓ ઉધમ સિંહ નગર (43,878), હરિદ્વાર (29,369), દેહરાદૂન (19,402) અને નૈનીતાલ (18,301)માંથી જ 85 ટકાથી વધારે અરજીઓ આવી છે. આ સ્થિતિ વચ્ચે ચૂંટણી પંચે દાવા-વાંધાઓના સમાધાનની મુદત 17 દિવસ વધારી દેતાં હવે આખરી મતદાર યાદી 15 સપ્ટેમ્બરના બદલે 3 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચ દ્વારા દાવા અને વાંધાઓ સ્વીકારવાની સમયમર્યાદા 14 જુલાઈથી શરૂ થઈને 9 સપ્ટેમ્બર સુધી નિર્ધારિત હતી, જેને હવે લંબાવીને 28 સપ્ટેમ્બર સુધી કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બીવીઆરસી પુરુષોત્તમે મીડિયાને જણાવ્યું હતું કે, પડતર દાવાઓ અને વાંધાઓના યોગ્ય પતાવટ માટે આ વધારાનો સમય અપાયો છે. સાચા અને વાસ્તવિક મતદારોનું નામ યાદીમાંથી બાકાત ન થઈ જાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને બૂથ સ્તરે નવેસરથી તપાસ કરવાના સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે.

અગાઉ 14 જુલાઈએ પ્રસિદ્ધ થયેલી SIR ડ્રાફ્ટ યાદીમાં મતદારોની સંખ્યા 71.33 લાખ નોંધાઈ હતી, જે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી વખતની 79.58 લાખની સરખામણીએ સીધી 8.25 લાખ જેટલી ઓછી જોવા મળી હતી. આ ઉપરાંત, પંચ દ્વારા હાથ ધરાયેલી ઘર-ઘર ગણતરી દરમિયાન ગેરહાજર, સ્થળાંતરિત અથવા મૃત્યુ પામેલા (ASD) કેટેગરી હેઠળ 8.32 લાખ મતદારોની ઓળખ કરવામાં આવી હતી.

ડ્રાફ્ટ યાદીમાં અનિયમિતતાના પગલે અંદાજે 19.04 લાખ મતદારોના રેકોર્ડ સામે ગંભીર સવાલો ઊભા થયા હતા, જેમાં દેહરાદૂન, હરિદ્વાર અને ઉધમ સિંહ નગર જિલ્લામાં સૌથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા હતા. ચૂંટણી પંચે આ તમામ કેસોની તલસ્પર્શી ફેરતપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેથી કોઈ પણ ક્ષતિ વિનાની સુધારેલી અને પારદર્શક આખરી મતદાર યાદી આગામી 3 ઓક્ટોબરે રાજ્ય સમક્ષ મૂકી શકાય.