પંજાબમાં પૂરથી અત્યાર સુધી 52ના મોત, 1,91,926 હેક્ટરમાં પાક ધોવાયો
September 10, 2025
છેલ્લા 24 કલાકમાં વધુ એક વ્યક્તિના મોત બાદ પંજાબમાં આવેલા વિનાશક પૂરને કારણે કુલ મૃત્યુઆંક 52 પર પહોંચી ગયો છે. પંજાબના મહેસૂલ મંત્રી હરદીપ સિંહ મુંડિયનએ જણાવ્યું હતું કે હાલમાં 22 જિલ્લાઓના 2,097 ગામો પૂરથી પ્રભાવિત છે અને 1.91 લાખ હેક્ટર જમીનમાં ફેલાયેલા પાકને નુકસાન થયું છે. એક દિવસ પહેલા આ આંકડો લગભગ 1.84 લાખ હેક્ટર હતો. તેમણે કહ્યું કે 9 સપ્ટેમ્બર સુધીમાં 22 જિલ્લાઓમાં કૂલ 2,097 ગામડાઓ પૂરથી પ્રભાવિત થયા છે.
મંગળવારે લુધિયાણામાં પૂરને કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું હતું. જેના પછી 15 પૂરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ મૃત્યુઆંક 52 થયો હતો પઠાણકોટમાં હજુ પણ ત્રણ લોકો ગુમ છે. બચાવ કામગીરી અંગે મહેસૂલ મંત્રી હરદીપ સિંહ મુંડિયનએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 191 વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 23,206 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મંત્રીએ જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં 119 રાહત શિબિરો છે. જેમાં 5,521 લોકોએ આશ્રય લીધો છે.
Related Articles
કંગનાના સૂર બદલાયા! ભાગવતની ટકોર બાદ હવે કહ્યું- Gen Z તો રાષ્ટ્ર ધરોહર
કંગનાના સૂર બદલાયા! ભાગવતની ટકોર બાદ હવે...
Aug 07, 2026
'અમેરિકા પણ વિદેશી ફંડિંગનું નિયમન કરે છે', FCRA મુદ્દે ભારતનો અમેરિકાને જડબાતોડ જવાબ
'અમેરિકા પણ વિદેશી ફંડિંગનું નિયમન કરે છ...
Aug 07, 2026
મિથુન ચક્રવર્તી હોસ્પિટલમાં દાખલ, કોલકાતામાં થઈ સર્જરી
મિથુન ચક્રવર્તી હોસ્પિટલમાં દાખલ, કોલકાત...
Aug 07, 2026
દિલ્હીમાં મોટું થવાના એંધાણ: કોંગ્રેસના સાંસદો માટે વ્હીપ જાહેર
દિલ્હીમાં મોટું થવાના એંધાણ: કોંગ્રેસના...
Aug 07, 2026
દેશભરમાં ચોમાસું પૂરજોશમાં : ઉત્તરથી દક્ષિણ સુધીના 15થી વધુ રાજ્યોમાં આકાશી આફતનું એલર્ટ
દેશભરમાં ચોમાસું પૂરજોશમાં : ઉત્તરથી દક્...
Aug 07, 2026
21 ઓગસ્ટે દિલ્હીના જંતર મંતર પર અનામત હટાઓ આંદોલન, NEET આપી ચૂકેલા હર્ષ દુબેએ પરવાનગી માંગતાં મંજૂરી મળી
21 ઓગસ્ટે દિલ્હીના જંતર મંતર પર અનામત હટ...
Aug 05, 2026
Trending NEWS
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026