Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

પાકિસ્તાનની જેલમાં 17 મહિનામાં 7 ભારતીય માછીમારો મોત

October 29, 2024

ગયા વર્ષે મે મહિનાથી સાત ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામ્યા છે, જેમાંથી એકના મૃત્યુનો તાજો કિસ્સો ત્રણ દિવસ પહેલા પ્રકાશમાં આવ્યો હતો. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હાલમાં કુલ 209 ભારતીય માછીમારો પાકિસ્તાનની કસ્ટડીમાં છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ માછીમારોમાંથી 181 તેમની છ મહિનાની સજા પૂર્ણ કરી ચૂક્યા છે અને ભારતે તેમની રાષ્ટ્રીયતાની પુષ્ટિ કરી છે. તેઓ હજુ પણ ભારત પરત મોકલવાની રાહ જોઈ રહ્યા છે. તેણે કહ્યું કે, તેમાંથી કેટલાક 2021થી પાકિસ્તાનની કસ્ટડીમાં છે.

સૂત્રોએ જણાવ્યું કે, 28 માછીમારો હજુ પણ પાકિસ્તાન તરફથી કોન્સ્યુલર એક્સેસની રાહ જોઈ રહ્યા છે. ભારતીય માછીમારના મોતનો તાજો કિસ્સો 25 ઓક્ટોબરે સામે આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે, તેની ઓળખ હરિ તરીકે થઈ છે. જો કે, હજુ તેના વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી.

સૂત્રોએ જણાવ્યું કે, સપ્ટેમ્બરમાં પણ સેરાશ નામના અન્ય એક ભારતીયનું પાકિસ્તાનની જેલમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું કે, સેરાશનો પાર્થિવ શરીર 11 ઓક્ટોબરે ભારત મોકલવામાં આવ્યો હતો, જ્યારે હરિનું શરીર મોકલવાનું બાકી છે. એક સૂત્રએ જણાવ્યું કે, 2023થી સાત ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામ્યા છે.