પાટીદાર આંદોલન સમયના 9 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારની સત્તાવાર જાહેરાત
February 07, 2025

અમદાવાદ : ગુજરાતમાં 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનનાં પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા હતાં. આ સિવાય આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથરિયા, રેશ્મા પટેલ જેવા મોટા નેતાઓ પણ ઉભરી આવ્યા હતાં. જોકે, આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતાં. ત્યારથી જ વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી હતી. પરંતુ, આંદોલનના 10 વર્ષ સુધી ગુના પાછા ખેંચાયા નહતાં. જોકે, હવે 10 વર્ષ બાદ આ કેસ પરત ખેંચવામાં આવ્યા છે. જેની પુષ્ટિ ગુહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 'ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના યુવાનો જે પાટીદાર સમાજના આંદોલન વખતે સામેલ હતાં. આ દરમિયાન જે અમુક ઘટના બની હતી અને આ ઘટનામાં જે કેસ ચાલું હતાં અને જેની તપાસ અને ચાર્જશીટ પૂરી થઈ ગઈ છે, તેવા 9 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે'.
Related Articles
ડાંગ જિલ્લામાં વરસાદના પગલે પૂર્ણા, અંબિકા સહિતની નદીઓએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, તંત્ર એલર્ટ
ડાંગ જિલ્લામાં વરસાદના પગલે પૂર્ણા, અંબિ...
Jul 05, 2025
અમરેલીમાં સરકારી શાળાની ઘોર બેદરકારી! 4 વિદ્યાર્થી શાળામાં પુરાયા, ગેટ પર તાળું મારી જતા રહ્યા શિક્ષકો
અમરેલીમાં સરકારી શાળાની ઘોર બેદરકારી! 4...
Jul 05, 2025
ઓઢવમાં નજીવા કારણે માતાએ છ વર્ષની બાળકીનું ગળું દબાવી હત્યા
ઓઢવમાં નજીવા કારણે માતાએ છ વર્ષની બાળકીન...
Jul 04, 2025
ખેડાની રાઇસ મીલમાં વિકરાળ આગ, ધુમાડાના ગોટેગોટા
ખેડાની રાઇસ મીલમાં વિકરાળ આગ, ધુમાડાના ગ...
Jul 04, 2025
સિહોરમાં ભાજપમાં ભડકો, કામ ન થતાં હોવાના બળાપા સાથે મહિલા કાઉન્સિલરનું રાજીનામું
સિહોરમાં ભાજપમાં ભડકો, કામ ન થતાં હોવાના...
Jul 04, 2025
ગુજરાતમાં આગામી 6 દિવસ 11થી વધુ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 6 દિવસ 11થી વધુ જિલ્લામા...
Jul 03, 2025
Trending NEWS

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025
05 July, 2025

05 July, 2025
05 July, 2025
05 July, 2025

05 July, 2025