Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

ઉત્તરાખંડમાં ગુજરાતી શ્રદ્ધાળુઓની બસ પલટી, 3ને ગંભીર ઈજા, ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો

June 12, 2025

ઉત્તરાખંડના ટિહરી-ઘંસાલી રોડ પર કેદારનાથ જઈ રહેલા ગુજરાતના 33 શ્રદ્ધાળુઓ ભરેલી બસ પલટી હતી. આ અકસ્માતમાં 15 શ્રદ્ધાળુઓને સામાન્ય ઈજા, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા. તેમને એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, ઉત્તરાખંડના નવા ટિહરી-ઘંસાલી મોટર રોડ પર ટિપરીથી લગભગ 1.5 કિ.મી આગળ ગુજરાતના 33 શ્રદ્ધાળુઓ ભરેલી બસચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રસ્તા પર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં એક પુરુષ, એક મહિલા અને એક બાળક સહિત ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને રાહતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.