દાહોદમાં મહિલાએ પ્રેમી સાથે મળી બીજા પ્રેમીની કરી હત્યા, પ્રણય ત્રિકોણમાં ખેલાયો ખૂની ખેલ
February 03, 2025
મહિલાએ પ્રેમીને તપાવવા અન્ય પ્રેમીને બોલાવ્યો
દાહોદ : દાહોદ જિલ્લામાં થોડા દિવસ પહેલા દેવગઢ બારીયા તાલુકાના સાગટાળા ગામે એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટના મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જેમાં સોશિયલ મીડિયામાં મૃતકના પરિવાજનોની ઓળખ થતાં પોલીસે સમગ્ર મામલે પૂછપરછ કરતાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા હતા. જેમાં મૃતકની પ્રેમીકાએ અન્ય પ્રેમીને સાથે મળીને મોતનો ખુની ખેલ ખેલ્યો હોવાનો ખુલાસો થયો હતો. સમગ્ર બનાવને પગલે પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.
મળતી માહિતી મુજબ, દાહોદના સાગટાળા ગામે મળી આવેલા મૃતદેહને મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ કરતાં મૃતકનું નામ રાજેશ માનસિંહ બારીયા હોવાનું સામે આવ્યું હતું. પરિવારે જણાવ્યું હતું કે, મૃતકને મનિષા બારીયા નામની પડોશી મહિલા સાથે પ્રેમ સંબંધ હતા. જ્યારે મનિષાને રાજુ ગવાણા નામના અન્ય પુરુષ સાથે પણ પ્રેમ સંબંધ હોવાથી મનિષાને લઈને બંને પ્રેમી વચ્ચે અવાર-નવાર ઝઘડો થતો હતો. જેને લઈને મૃતકના પત્નીએ મનિષા અને રાજુ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. સમગ્ર ઘટના મામલે સાગટાળા પોલીસે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, મૃતકની પ્રેમીકા મનિષા, રાજુ અને તેના સાળા હિતેશ પટેલે 22 જાન્યુઆરી, 2025ના રોજ રાજેશને મનિષાના ઘરે બોલાવ્યો હતો અને કાવતરું ઘડીને રાજેશનું ગળુ દબાવીને હત્યા કરી હતી. આ પછી ત્રણેય આરોપીઓ રાજેશના મૃતદેહને કાર મારફતે શારદા ગામે ફેંકી આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી, જ્યારે કાર અને મોબાઈલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Related Articles
વડોદરાના માંજલપુરમાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો
વડોદરાના માંજલપુરમાં પતિએ પત્ની પર ફાયરિ...
વેરાવળ GIDCમાં કામ કરતી દલિત સમાજની દીકરીનું શંકાસ્પદ મૃત્યુ
વેરાવળ GIDCમાં કામ કરતી દલિત સમાજની દીકર...
Feb 03, 2025
ગિરનારમાં આરોહણ અવરોહણ સ્પર્ધા, સમગ્ર દેશમાંથી 570 સ્પર્ધકોએ લીધો ભાગ
ગિરનારમાં આરોહણ અવરોહણ સ્પર્ધા, સમગ્ર દે...
Feb 03, 2025
ગુજરાત રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસી નેતાના પત્ની ઝાકિયા જાફરીનું 86 વર્ષની વયે નિધન
ગુજરાત રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસી...
Feb 01, 2025
સોમનાથ મંદિરની આસપાસ ઉર્સની ઉજવણી મુદ્દે સુપ્રીમ કોર્ટનો નિર્ણય, ધાર્મિક સરઘસ પર રોક
સોમનાથ મંદિરની આસપાસ ઉર્સની ઉજવણી મુદ્દે...
Jan 31, 2025
મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુઓની મદદ માટે ‘ગુજરાત પવેલિયન’ 24 કલાક કાર્યરત,
મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુઓની મદદ માટે...
Jan 31, 2025
Trending NEWS
03 February, 2025
03 February, 2025
03 February, 2025
03 February, 2025
03 February, 2025
03 February, 2025
03 February, 2025
03 February, 2025
03 February, 2025
03 February, 2025
Feb 03, 2025