અમદાવાદમાં ઓર્ચિડ એપાર્ટમેન્ટની આગમાં ચોથા માળેથી કૂદેલી મહિલાનું મોત, હજુ 4 સારવાર હેઠળ
April 30, 2025

અમદાવાદના હાસોલ વિસ્તારમાં ઈન્દિરા બ્રિજ નજીક આત્રેય ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં મંગળવાર (29મી એપ્રિલ) ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાને લઈને દોડધામ મચી હતી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ આગમાં પોતાનો જીવ બચાવવા માટે વિનીતા રામચંદાની નામની મહિલા ચોથા માળેથી કૂદ્યા હતા, જેમને ગંભીર ઈજાઓ પહોંચતા આજે (30મી એપ્રિલ) સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
4 જેટલા ઈજાગ્રસ્તો સારવાર હેઠળ મળતી માહિતી અનુસાર, આત્રેય ઓર્ચિડમાં લાગેલી આગમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 52 વર્ષીય વિનીતા રામચંદાએ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે, જ્યારે અન્ય 4 જેટલા ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે, એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નંબર 404માં એર-કન્ડિશનરના આઉટડોર યુનિટમાં આગ લાગી હતી. એસીમાં લાગેલી આગ ઝડપથી પાંચમા અને છઠ્ઠા માળ સુધી ફેલાઈ ગઈ હતી. દૂર દૂરથી ધુમાડો જોવા મળ્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે આવી ગયા હતા અને અંદર ફસાયેલા 27 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
Related Articles
ઉત્તર ગુજરાત 3.4ની તીવ્રતાના ભૂકંપથી હચમચ્યું, ગાંધીનગરથી 27 કિ.મી. દૂર કેન્દ્ર
ઉત્તર ગુજરાત 3.4ની તીવ્રતાના ભૂકંપથી હચમ...
May 03, 2025
ભરૂચમાં 10 વર્ષની બાળકીને 72 દિવસે મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ હત્યાના આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા
ભરૂચમાં 10 વર્ષની બાળકીને 72 દિવસે મળ્યો...
May 02, 2025
અમદાવાદમાં એક જ દિવસમાં 5 અલગ-અલગ સ્થળે આગની ઘટના
અમદાવાદમાં એક જ દિવસમાં 5 અલગ-અલગ સ્થળે...
May 02, 2025
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. ગિરિજા વ્યાસન...
May 02, 2025
ડાંગના પર્વતારોહકની મોટી સિદ્ધિ, 17500 ફૂટ ઊંચાઈએ કાબરુ શિખરની ટોચે તિરંગો લહેરાવ્યો
ડાંગના પર્વતારોહકની મોટી સિદ્ધિ, 17500 ફ...
Apr 30, 2025
Trending NEWS

02 May, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025