Breaking News :
કેનેડામાં નમકીન ખાતા જ કરનાલના યુવકનું હાર્ટફેલ:ગર્ભવતી પત્ની સાથે ચાલવા નીકળ્યો હતો; વહુની ડિલિવરી માટે પરિવાર વિદેશ જવાનો હતો અમેરિકામાં એક બેઠક થતાં જ સોના-ચાંદીના ભાવમાં રાતોરાત ભડકો! બજાર ખૂલતાં જ જોવા મળી તેજી શ્રીલંકાને હરાવીને ટીમ ઈન્ડિયાની શાનદાર વાપસી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારતનો કૂદકો ઈરાન યુદ્ધથી બ્રિટનમાં ઊર્જાના ભાવ વધતાં જુલાઈમાં ફુગાવો 2.9% પર પહોંચ્યો, વ્યાજદર વધારવા અંગે બેન્ક ઓફ ઈંગ્લેન્ડની મૂંઝવણ 26/11 કેસમાં હાફિઝ સઈદ-લખવી સહિત 6 સામે ગેરહાજરીમાં ટ્રાયલની પ્રક્રિયા શરૂ, ભારતે કહ્યું- આતંકવાદ સામે જરૂરી પગલાં લઈશું ઈરાનના મિસાઈલ હુમલાના દાવા વચ્ચે યુએઈએ તમામ વેપાર સ્થગિત કર્યો, 10 મિનિટમાં ચેતવણી હટાવી

દિવાળીના તહેવારમાં અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો

October 29, 2024

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, આગામી દિવાળી તેમજ નવિન વર્ષોના દિવસો દરમ્યાન આરતી–દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર જનતાને નોંધ લેવા લેવા વિનંતી કરાઈ છે.

તારીખ 2/11/2024 શનિવાર કારતક સુદ એકમના રોજ આરતીનો સમય સવારે 6 થી 6.30 રહેશે. દર્શનનો સમય સવારે 6.30થી 11.30નો રહેશે. રાજભોગ બપોરે - 12 કલાકે, બપોરે દર્શન 12.30થી 16.15 રહેશે. સાંજે આરતીનો સમય 18.30થી 19 તથા સાંજે દર્શન 19 વાગ્યાથી રાતે 21 વાગ્યા સુધીનો સમય રહેશે.

તારીખ 3/11/2024 કારતક સુદ બીજથી તારીખ 6/11/2024 કારતક સુદ પાંચમ સુધી આરતીનો સમય સવારે 6.30થી 7 વાગ્યાનો રહેશે. દર્શનનો સમય સવારે 7થી 11.30નો રહેશે. રાજભોગ બપોરે - 12.00 કલાકે, બપોરે દર્શન 12.30થી 16.15 રહેશે. સાંજે આરતીનો સમય 18.30થી 19 તથા સાંજે દર્શન 19 વાગ્યાથી રાતે 21 વાગ્યા સુધીનો સમય રહેશે.

તારીખ 7/11/2024થી આરતી તથા દર્શનનો સમય મુજબ યથાવત રહેશે. જેમાં આરતીનો સમય સવારે 7.30થી 8 વાગ્યાનો રહેશે. દર્શનનો સમય સવારે 8થી 11.30નો રહેશે. રાજભોગ બપોરે - 12.00 કલાકે, બપોરે દર્શન 12.30થી 16.15 રહેશે. સાંજે આરતીનો સમય 18.30થી 19 તથા સાંજે દર્શન 19 વાગ્યાથી રાતે 21 વાગ્યા સુધીનો સમય રહેશે.