Syriaમાં તમામ ભારતીયો સુરક્ષિત, દમાસ્કસ દૂતાવાસ રહેશે ચાલુ, વિદેશ મંત્રાલયે આપી સલાહ
December 09, 2024
સીરિયાની રાજધાની દમિશ્કમાં વિદ્રોહી જૂથોએ પર કબજો જમાવ્યો હોવાના અહેવાલો વચ્ચે સૂત્રોએ જણાવ્યું હતું કે સીરિયામાં તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત છે અને દૂતાવાસ તેમની મદદ માટે ઉપલબ્ધ છે. સૂત્રોએ જણાવ્યું કે યુદ્ધગ્રસ્ત સીરિયાની રાજધાની દમાસ્કસમાં ભારતીય દૂતાવાસ કાર્યરત છે અને તમામ ભારતીય નાગરિકોના સંપર્કમાં છે. આ દરમિયાન ઈસ્લામવાદી આગેવાની હેઠળના વિદ્રોહીએ આજે કહ્યું કે તેઓએ સીરિયાને બશર અલ-અસદના શાસનમાંથી મુક્ત કરાવ્યું છે.
આ પહેલા વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરીમાં હિંસા પ્રભાવિત દેશમાં રહેતા ભારતીયોને શક્ય હોય તો ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા શક્ય તેટલી વહેલી તકે નીકળી જવા જણાવ્યું હતું. રાજધાની દમાસ્કસમાં વિદ્રોહી પ્રવેશ કરે તે પહેલા આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી.
આ પહેલા વિદેશ મંત્રાલયે તમામ ભારતીય નાગરિકોને સીરિયાની મુસાફરી ટાળવાની સલાહ આપી હતી. આ સાથે સીરિયામાં હાજર ભારતીય નાગરિકોને દમાસ્કસમાં ભારતીય દૂતાવાસનો ઈમરજન્સી હેલ્પલાઈન નંબર +963 993385973 (વોટ્સએપ પર પણ) ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.
Related Articles
જમૈકા સાથે ટકરાયું સદીનું સૌથી ખતરનાક વાવાઝોડું મેલિસા: 300 કિમી/કલાકની ઝડપે ફૂંકાયો પવન, ભૂસ્ખલનનો ખતરો વધ્યો
જમૈકા સાથે ટકરાયું સદીનું સૌથી ખતરનાક વા...
Oct 29, 2025
બ્રાઝિલમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સૌથી મોટું ઓપરેશન: હેલિકોપ્ટરથી હુમલો, 64ના મોત
બ્રાઝિલમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સૌથી મ...
Oct 29, 2025
કેન્યામાં વિમાન દુર્ઘટના, 12 લોકોના જીવ ગયા હોવાની આશંકા, બચાવ કામગીરી શરૂ
કેન્યામાં વિમાન દુર્ઘટના, 12 લોકોના જીવ...
Oct 28, 2025
તૂર્કિયેમાં 6.1 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, 5 KMની ઊંડાઈએ હતું કેન્દ્ર; અનેક ઇમારતો ધ્વસ્ત, કાટમાળમાં ફેરવાઈ
તૂર્કિયેમાં 6.1 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ,...
Oct 28, 2025
ઈઝરાયલ-હમાસ બાદ હવે થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે પણ શાંતિ કરાર
ઈઝરાયલ-હમાસ બાદ હવે થાઈલેન્ડ-કંબોડિયા વચ...
Oct 26, 2025
યુગાન્ડામાં ઓવરટેકના ચક્કરમાં બસ ખીણમાં ખાબકી, 63 મુસાફરોના મોત
યુગાન્ડામાં ઓવરટેકના ચક્કરમાં બસ ખીણમાં...
Oct 24, 2025
Trending NEWS
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
27 October, 2025
27 October, 2025
27 October, 2025
27 October, 2025
27 October, 2025
27 October, 2025