Syriaમાં તમામ ભારતીયો સુરક્ષિત, દમાસ્કસ દૂતાવાસ રહેશે ચાલુ, વિદેશ મંત્રાલયે આપી સલાહ
December 09, 2024
સીરિયાની રાજધાની દમિશ્કમાં વિદ્રોહી જૂથોએ પર કબજો જમાવ્યો હોવાના અહેવાલો વચ્ચે સૂત્રોએ જણાવ્યું હતું કે સીરિયામાં તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત છે અને દૂતાવાસ તેમની મદદ માટે ઉપલબ્ધ છે. સૂત્રોએ જણાવ્યું કે યુદ્ધગ્રસ્ત સીરિયાની રાજધાની દમાસ્કસમાં ભારતીય દૂતાવાસ કાર્યરત છે અને તમામ ભારતીય નાગરિકોના સંપર્કમાં છે. આ દરમિયાન ઈસ્લામવાદી આગેવાની હેઠળના વિદ્રોહીએ આજે કહ્યું કે તેઓએ સીરિયાને બશર અલ-અસદના શાસનમાંથી મુક્ત કરાવ્યું છે.
આ પહેલા વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરીમાં હિંસા પ્રભાવિત દેશમાં રહેતા ભારતીયોને શક્ય હોય તો ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા શક્ય તેટલી વહેલી તકે નીકળી જવા જણાવ્યું હતું. રાજધાની દમાસ્કસમાં વિદ્રોહી પ્રવેશ કરે તે પહેલા આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી.
આ પહેલા વિદેશ મંત્રાલયે તમામ ભારતીય નાગરિકોને સીરિયાની મુસાફરી ટાળવાની સલાહ આપી હતી. આ સાથે સીરિયામાં હાજર ભારતીય નાગરિકોને દમાસ્કસમાં ભારતીય દૂતાવાસનો ઈમરજન્સી હેલ્પલાઈન નંબર +963 993385973 (વોટ્સએપ પર પણ) ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.
Related Articles
25ના મોત, લાખો ઘરોમાં બત્તી ગુલ, ટ્રાન્સપોર્ટેશન ઠપ... અમેરિકામાં બરફના તોફાનની તબાહી
25ના મોત, લાખો ઘરોમાં બત્તી ગુલ, ટ્રાન્સ...
Jan 27, 2026
અમેરિકામાં પ્રાઈવેટ જેટ ક્રેશ, 7 લોકોના મોત, હિમવર્ષાના કારણે બની ઘટના
અમેરિકામાં પ્રાઈવેટ જેટ ક્રેશ, 7 લોકોના...
Jan 27, 2026
ઈરાન પર હુમલાની તૈયારી કરી રહેલા અમેરિકા માટે UAEએ 'દરવાજા બંધ કર્યા'! હવે શું કરશે ટ્રમ્પ?
ઈરાન પર હુમલાની તૈયારી કરી રહેલા અમેરિકા...
Jan 27, 2026
25ના મોત, લાખો ઘરોમાં બત્તી ગુલ, ટ્રાન્સપોર્ટેશન ઠપ... અમેરિકામાં બરફના તોફાનની તબાહી
25ના મોત, લાખો ઘરોમાં બત્તી ગુલ, ટ્રાન્સ...
Jan 27, 2026
વિનાશક બરફના તોફાનથી કહેર, 25 લોકોના મોત, 6 લાખથી વધુ ઘરમાં વીજ પુરવઠો ઠપ્પ
વિનાશક બરફના તોફાનથી કહેર, 25 લોકોના મોત...
Jan 27, 2026
હિંદ મહાસાગર પહોંચ્યું USS અબ્રાહમ લિંકન, અમેરિકી સૈન્યની તાકાત વધી
હિંદ મહાસાગર પહોંચ્યું USS અબ્રાહમ લિંકન...
Jan 27, 2026
Trending NEWS
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
26 January, 2026