ગુજરાતમાં વધુ એક દુષ્કર્મની ઘટના

October 18, 2024

સુરેન્દ્રનગર : ગુજરાતમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં રહેતી એક સગીરા પર સાત શખ્સોએ છેલ્લા સાત મહિના દરમિયાન અલગ અલગ સ્થળો પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પીડિતાની માતા દ્વારા કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓ દ્વારા પીડિતાને અલગ અલગ સમયે અને સ્થળે ધમકી આપી લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. દુષ્કર્મ મામલે પોલીસ દ્વારાથાનગઢમાં ગામે રહેતા અજય ભરવાડ, અજય મલાભાઈ અલગોતર, શૈલેષ ઉકાભાઇ અલગોતર, ધ્રુવ મહેન્દ્રભાઈ ચાવડા, કૌશિક ઉર્ફે લાલો હરેશભાઇ ગૌસ્વામી, વિજયસિંહ નરેન્દ્રસિંહ સોલંકી અને દર્શન મુકેશભાઈ સદાદિયા અને મદદગારી કરનાર કાના ઉર્ફે હરિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.