દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાનું મોટું ઓપરેશન : 7 નક્સલી ઠાર, 3 જવાનો શહીદ
December 03, 2025
દંતેવાડા : દંતેવાડા અને બીજાપુરની સરહદને જોડતા ભૈરમગઢ વિસ્તારના કેશકુતુલના જંગલોમાં આજે સવારે નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે ભીષણ અથડામણ થઈ છે, જેમાં પોલીસે સાત માઓવાદીઓને ઠાર કર્યા છે. જોકે આ એન્કાઉન્ટરમાં DRGના ત્રણ જવાનો શહીદ થયા છે, જ્યારે અન્ય બે જવાનો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બસ્તર આઈજી સુંદરરાજ પટ્ટિલિંગમે કહ્યું કે, દંતેવાડાથી નીકળેલી ટીમે બીજાપુરની સરહદના કેશકુતુલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહી હતી, ત્યારે નક્સલીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. શહીદ થયેલા જવાનોમાં પ્રધાન આરક્ષક મોનુ વડાડી, આરક્ષક દુકારુ ગોંડે અને જવાન રમેશ સોડીનો સમાવેશ થાય છે.
અથડામણ સ્થળેથી એએલઆર રાઈફલ, પોઈન્ટ 303 રાઈફલ સહિત મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. હાલમાં જંગલમાં મોટું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને ઠાર કરાયેલા નક્સલવાદીઓની સંખ્યા વધવાની શક્યતા છે.
Related Articles
પુતિનના પ્રવાસ પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની હરકત પર ભડક્યું ભારત, કહ્યું- આ અસ્વીકાર્ય
પુતિનના પ્રવાસ પહેલા બ્રિટન, ફ્રાન્સ અને...
Dec 03, 2025
Varanasiમાં કાર્યક્રમ દરમિયાન CM યોગીની સુરક્ષામાં મોટી ચૂક, શંકાસ્પદ યુવક સ્ટેજ પર પહોંચ્યો
Varanasiમાં કાર્યક્રમ દરમિયાન CM યોગીની...
Dec 03, 2025
ટેકનિકલ ખામી બાદ એરપોર્ટ ચેક-ઇન સિસ્ટમ પુનઃસ્થાપિત, અનેક ફ્લાઇટ્સને અસર
ટેકનિકલ ખામી બાદ એરપોર્ટ ચેક-ઇન સિસ્ટમ પ...
Dec 03, 2025
હવે 'સેવાતીર્થ' તરીકે ઓળખાશે વડાપ્રધાન કાર્યાલય, તમામ રાજભવનનું નામ બદલીને 'લોકભવન'
હવે 'સેવાતીર્થ' તરીકે ઓળખાશે વડાપ્રધાન ક...
Dec 02, 2025
સંચાર સાથી એપ ડિલીટ કરી શકાશે, મોબાઈલમાં રાખવી જરૂરી નહીં, વિવાદ વચ્ચે સરકારની સ્પષ્ટતા
સંચાર સાથી એપ ડિલીટ કરી શકાશે, મોબાઈલમાં...
Dec 02, 2025
સાયબર સિક્યુરિટીના નામે લોકોના ફોન પર નજર રાખવા માંગે છે સરકાર: 'સંચાર સાથી' એપ મુદ્દે પ્રિયંકા ગાંધીના પ્રહાર
સાયબર સિક્યુરિટીના નામે લોકોના ફોન પર નજ...
Dec 02, 2025
Trending NEWS
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025