આસારામે ગાંધીનગર સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો, સજા પર રોક લગાવવા કરી અરજી

March 16, 2023

અમદાવાદ : ગાંધીનગર કોર્ટે સુરત યૌસ શોષણ કેસમાં આસારામને આજીવન કેદની સજા આપી હતી. આ કોર્ટના ચુકાદાને પડકાર આપવા માટે આસારામે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તેમણે હાઈકોર્ટમાં સજા પર રોક લગાવવા માટે અરજી કરી છે. આ મામલે આગામી સમયમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનવણી થઈ શકે છે.

આ આગાઉ ગાંધીનગર  સેશન્સ કોર્ટે સુરત યૌન શોષણ કેસમાં આસારામને આજીવન કેદની સજા આપી હતી.  આ મામલે નામદાર કોર્ટ તમામ મુદાઓનું અવલોકન કર્યું હતું. ગાંધીનગર સેશન્સ કોર્ટે આ કેસમાં ચુકાદો આપતા પીડિતાને 50 હજારની આર્થિક વળતર આપવા સૂચન કર્યું હતું. વર્ષ 2013માં સપ્ટેમ્બર માસમાં આશારામ વિરુદ્ધ સુરત ખાતે યૌન શોષણનો કેસ થયો હતો. સુરત પોલીસે બનાવ જે વિસ્તારમાં બન્યો હતો તે પોલિસ સ્ટેશનમાં કેસ ટ્રાન્સફર કર્યોહતો. અમદાવાદના ચાંદખેડા પોલીસમાં કેસ ટ્રાન્સફર થયો હતો.


વર્ષ 2001માં સુરતની બે યુવતીઓએ આસારામ સહિત તેના પુત્ર નારાયણ સાંઈ પર પણ દુષ્કર્મનો આક્ષેપ કર્યો હતો. તારીખ 6 ઓક્ટોબર 2013ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટના વર્ષ 2001માં બની હતી. સરકાર વતી 55 સાક્ષીઓ ચકાસવામાં આવ્યા હતા. તમામ સાક્ષીઓના નિવેદનમાં  જોવા મળ્યો હતો. આ ઘટનામાં કુલ 8 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.