Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

બાંગ્લાદેશે સંબંધો સુધાર્યા : પાક.થી આવતી માલસામગ્રી અને કાર્ગોનું ચેકિંગ નહીં કરે

February 25, 2025

બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન પછી કટ્ટરવાદીઓના હાથમાં સત્તા આવી ગઈ છે. કાર્યકારી સલાહકાર મોહમ્મદ યુનુસના વડપણ હેઠળની બાંગ્લાદેશ સરકારે પાકિસ્તાન સાથેના સંબંધો સુધાર્યા છે. ભારત સાથેના સંબંધોમાં હાલ તંગદિલી ચાલી રહી છે. બાંગ્લાદેશ ભારતને બદલે હવે પાકિસ્તાનની વધુ નજીક સરકી રહ્યું છે. તેણે પાકિસ્તાનથી આવી રહેલી માલસામગ્રી અને કાર્ગોનું ચેકિંગ નહીં કરવાનો નિર્ણય લીધો છે.

બંને દેશો વચ્ચે 54 વર્ષ પછી સીધો વેપાર થઈ રહ્યો છે. 1971માં પાકિસ્તાન અને બાંગ્લાદેશના ભાગલા પડયા પછી પહેલીવાર પાક. સરકારની મંજૂરીથી બાંગ્લાદેશમાં કાર્ગો શિપ કરાચીના કાસિમ પોર્ટથી રવાના થયું છે. ફેબ્રુઆરીમાં બંને દેશોએ સીધો વેપાર કરવાના કરાર કર્યા હતા. આ પછી પાકિસ્તાનમાંથી 50,000 ટન ચોખા લઈને જહાજ બાંગ્લાદેશ જવા રવાના થયું છે.

બાંગ્લાદેશમાં જમાત-એ-ઇસ્લામી વધુ મજબૂત થયું છે જેણે પાક. સાથેના સંબંધો સુધારવા અને મૈત્રીપૂર્ણ બનાવવા પર ભાર મૂક્યો છે. મોહમ્મદ યુનુસની સરકાર ઇસ્લામિક કટ્ટરપંથીઓના પ્રભાવ હેઠળ છે. પાકિસ્તાનમાંથી પહેલા તબક્કામાં 25,000 ટન ચોખા મોકલાયા છે અને માર્ચમાં બીજા 25,000 ટન ચોખા રવાના કરાશે. હવે ભારતમાંથી નિકાસ ઘટશે તેવી ભીતિ સેવાઈ રહી છે.