ચીને સ્વીકાર્યુ કે 80 ટકા વસ્તી કોરોના વાયરસથી સંક્રમિત

January 22, 2023

બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ ભવિષ્યમાં આરોગ્ય વિશ્લેષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી લંડનની સંશોધન કંપની એરફિનિટી લિમિટેડએ જણાવ્યું છે કે 1.4 અબજના દેશમાં 23 જાન્યુઆરીના અંત સુધીમાં વાયરસનાં મૃત્યુઆંક ચરમશીમા પર આવી શકે છે. છતા પણ ચીન તેની હરકતોથી બાદ રહ્યુ નહોતું. પરંતુ આ વચ્ચે તેણે હવે મોડા મોડા પણ સ્વીકાર્યુ કે હાલમાં ત્યા 80 ટકા વસ્તી કોરોના વાયરસથી સંક્રમિત છે. 


ચીનના ઉચ્ચહોદ્દો ધરાવતા એક વૈજ્ઞાનિકે કહ્યું કે તેમના દેશમાં 80 ટકા વસ્તી કોરોનાથી સંક્રમિત છે. જો કે આ નિવેદન બાદ તેમણે ચીનના સંક્રમણને કારણે સંભવિત જોખમોને નકારી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે તેમણે એ પણ સ્વીકાર્યુ કે ચીનના લોકોએ વધુ મુસાફરી કરવાને કારણે કોરોના વધુ ફેલાયો છે. તાજેતરમાં જ ચીને શુન્ય કોવિડ નીતિ પુર્ણ કરીને ઘણા મોટા નિર્ણયો લીધો છે. તેની સાથે તેણે સ્વીકાર્યુ કે છેલ્લા એક મહિનાથી 12 જાન્યુઆરી સુધીમાં આશરે 60000 નાગરિકોના કોરોનાથી મૃત્યુને ભેટ્યા હતા. જો કે નિષ્ણાતોનું માનવુ છે કે ચીનના આ આંકડા ખોટા છે.