Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાંસિસ ન્યૂમોનિયા સામે જંગ જીત્યા, તબિયતમાં સતત સુધારો

March 01, 2025

ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાંસિસ ન્યૂમોનિયા સામે જંગ જીત્યા છે. રોમની હૉસ્પિટલમાં દાખલ 88 વર્ષીય પોપની તબિયતમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. તબીબે જણાવ્યુ છે કે પોપે ન્યૂમોનિયાના ગંભીર સંક્રમણના સ્ટેજને પાર કરી લીધો છે. પરંતુ સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા માટે હજુ થોડા સમય લાગશે. પોપને શ્વાસ લેવામાં હવે સરળતા છે. અગાઉ તેઓને ઓક્સિજન આપવામાં આવતા હતા.

રોમની હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા પોપની તબિયતમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. તેમને હાલ માસ્ક મારફતે ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. પોપ નિયમિત રીતે ફિઝિયોથેરાપી પણ લઇ રહ્યા છે. ન્યૂમોનિયાના કારણે વર્ષમાં 25 લાખથી વધુના મોત થાય છે. આ ગંભીર બીમારીને પોપે જૈફ વયે માત આપી છે.