Breaking News :
સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી ઓડિશામાં જમીન અને મિલકત આપવાના વિરોધમાં પુત્રએ પિતા અને સાવકી માતાની કુહાડી મારી હત્યા કરી ડ્રાઈવરે કાબૂ ગુમાવતા મહારાષ્ટ્રના પંઢરપુરમાં પિકઅપ વાન કૂવામાં ખાબકી: 14 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત એન્જિનની ક્ષમતા ઘટતા અમેરિકાના મિસોરીમાં સ્કાઈડાઈવિંગ પ્લેન ક્રેશ: 12 મુસાફરોના ઘટનાસ્થળે મોત અમેરિકા-ઈરાન યુદ્ધના અંતની જાહેરાતથી વાયદા બજારમાં તેજી: સોનામાં 3300 અને ચાંદીમાં 7000 રૂપિયાનો ઉછાળો મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું: કોંગ્રેસમાં વિલયની ચર્ચા વચ્ચે શરદ પવાર જૂથના 3 નારાજ નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા

બંગાળ ચૂંટણી માટે કોંગ્રેસે 284 ઉમેદવારોની જાહેરાત, મમતા સામે પ્રદીપ પ્રસાદને ટીકિટ

March 29, 2026

કલક્તા ઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 284 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ 294 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કર્યા બાદ હવે બંગાળમાં કોંગ્રેસ અને TMC એકબીજાની સામે ચૂંટણી લડશે. અધીર રંજન ચૌધરી બહેરામપુર વિધાનસભા મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી લડશે. મૌસમ નૂરને માલતીપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે ભવાનીપુરથી મમતા બેનર્જી સામે પ્રદીપ પ્રસાદને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી ભાજપે મમતા બેનર્જી સામે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીને ઉતાર્યા છે, જ્યારે CPMએ શ્રીજીબ વિશ્વાસને મેદાનમાં ઉતાર્યા છે.


કોંગ્રેસની શનિવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં પશ્ચિમ બંગાળની તમામ 294 બેઠકો પર ઉમેદવારો ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શનિવારે ઉમેદવારો ઉતારવાના નિર્ણય બાદ રવિવારે કોંગ્રેસ તરફથી 284 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં કુલ વિધાનસભા બેઠકોની સંખ્યા 294 છે અને અહીં હાલમાં કોંગ્રેસના એક પણ ધારાસભ્ય નથી. અગાઉની વિધાનસભા ચૂંટણી પણ કોંગ્રેસ અને TMCએ અલગ-અલગ લડી હતી અને મમતા બેનર્જી ત્રીજી વખત રાજ્યમાં સરકાર બનાવવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ, ભાજપ વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યું હતું.

કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ પૂર્વ ધારાસભ્ય અલી ઈમરાન રમ્ઝ (વિક્ટર) ઉત્તર દિનાજપુરની ચાકુલિયા બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ સોમેન મિત્રાના પુત્ર રોહન મિત્રા બાલીગંજ બેઠક પરથી ચૂંટણી લડશે. નંદીગ્રામ મતવિસ્તારમાં કોંગ્રેસે પાર્ટીના યુવા ચહેરા શેખ ઝરિયાતુલ હુસૈન પર ભરોસો મૂક્યો છે. નંદીગ્રામથી ભાજપના નેતા સુવેન્દુ અધિકારી ચૂંટણી લડી રહ્યા છે. મોહિત સેનગુપ્તા રાયગંજ બેઠક પરથી, પૂર્વ ધારાસભ્ય અમલ આચાર્ય ઇટાહારથી, પૂર્વ ધારાસભ્ય નેપાલ મહતો બાઘમુંડીથી, પૂર્વ ધારાસભ્ય મિલ્ટન રાશિદ હસનથી અને મુસ્તાક આલમ હરિશ્ચંદ્રપુરથી ચૂંટણી લડશે.