દિગ્ગજ મહિલા નેતા કુમારી સેલજાએ વધારી કોંગ્રેસની ચિંતા, કાર્યકર્તાઓ પણ અસમંજસમાં
September 28, 2024

ચંદીગઢ- હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પ્રચારથી દૂર રહ્યા પછી કુમારી સેલજા કરનાલમાં રાહુલ ગાંધીની રેલીમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ કુમારી સેલજાએ ફતેહાબાદમાં પણ પ્રચાર કર્યો હતો. આવી સ્થિતિમાં કહેવામાં આવી રહ્યો છે કે, ટિકિટ ફાળવણી બાદ કુમારી સેલજા ખુશ છે. પરંતુ તાજેતરની ઘટના પરથી એવું બિલકુલ લાગતું નથી અને હાલ સેલજા પાર્ટીના મુખ્ય કાર્યક્રમોમાં હાજરી આપી રહી નથી.
કોંગ્રેસ પાર્ટીએ શનિવારે સવારે ચંદીગઢમાં પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. આ કાર્યક્રમમાં કુમારી સેલજા ઉપરાંત રણદીપ સુરજેવાલાએ અંતર જાળવી રાખ્યું હતું. ચૂંટણી ઢંઢેરાના કાર્યક્રમ દ્વારા ફરી એકવાર કોંગ્રેસની જૂથબંધી સ્પષ્ટ થઈ ગઈ છે. મહત્વની વાત એ છે કે, શનિવારે સેલજાના ચંદીગઢથી માત્ર 40 કિલોમીટર દૂર કાલકા અને 15 કિલોમીટર દૂર પંચકુલામાં કાર્યક્રમ છે. પરંતુ તેમ છતાં તે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના લોન્ચિંગમાં હાજર રહી ન હતી.
12 સપ્ટેમ્બરે ટિકિટ ફાળવણી માટેની અંતિમ યાદી બહાર આવી ત્યારથી કોંગ્રેસ પાર્ટીના કુમારી સેલજા નારાજ જોવા મળી રહ્યા હતા. તેમણે લગભગ 14 દિવસ હરિયાણાથી દૂર રહ્યા. પરંતુ 26 સપ્ટેમ્બરે તેમણે અસંધમાં રાહુલ ગાંધીની રેલીમાં જોડાયા. આ દરમિયાન મંચ પર તેમના સંબોધન દરમિયાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાનું નામ લેવામાં આવ્યું હતું. તેવામાં રાહુલ ગાંધી સાથે વાતો કરતા નજરે ચડ્યા હતા. આવી સ્થિતિમાં એવું માનવામાં આવ્યું હતું કે, સેલજાની નારાજગી દૂર થઈ. પરંતુ હુડ્ડા જ્યાં હાજર છે તે કાર્યક્રમમાં સેલજા જઈ રહી નથી.
Related Articles
ભારત સાથે મોટી ટ્રેડ ડીલ થશે, ચીન સાથે પણ સોદો નક્કી...', ટ્રમ્પની જાહેરાત
ભારત સાથે મોટી ટ્રેડ ડીલ થશે, ચીન સાથે પ...
Jun 27, 2025
નેતાજીના ડ્રાઈવરને ગિફ્ટમાં મળી રૂ.150 કરોડની જમીન! સરકાર ચોંકી, તપાસ શરૂ
નેતાજીના ડ્રાઈવરને ગિફ્ટમાં મળી રૂ.150 ક...
Jun 27, 2025
'એક દેશ નથી ઇચ્છતો કે આતંકવાદ પર વાત થાય', જયશંકરે પાકિસ્તાનની ખોલી પોલ
'એક દેશ નથી ઇચ્છતો કે આતંકવાદ પર વાત થાય...
Jun 27, 2025
હાઇકોર્ટે આસારામને આપી રાહત, 7 જુલાઈ સુધી હંગામી જામીનની તારીખ લંબાવાઈ
હાઇકોર્ટે આસારામને આપી રાહત, 7 જુલાઈ સુધ...
Jun 27, 2025
મનરેગા કૌભાંડ કેસ: કોંગ્રેસ દિગ્ગજ નેતા હીરા જોટવાના રિમાન્ડ મંજૂર, પુત્ર દિગ્વિજયની પણ ધરપકડ
મનરેગા કૌભાંડ કેસ: કોંગ્રેસ દિગ્ગજ નેતા...
Jun 27, 2025
‘આઝાદીમાં યોગદાન નથી ને બંધારણ વિરુદ્ધ વાતો કરી રહ્યા છે’ ખડગેના PM મોદી પર પ્રહાર
‘આઝાદીમાં યોગદાન નથી ને બંધારણ વિરુદ્ધ વ...
Jun 25, 2025
Trending NEWS

27 June, 2025

27 June, 2025

27 June, 2025

26 June, 2025

25 June, 2025

25 June, 2025

25 June, 2025

25 June, 2025

25 June, 2025

25 June, 2025